SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાજી ૩૦૧ 66 હલ્લા કરી ત્યાંથી કાઢી લેવા માગે છે. લોકો કોટવાળના ઘર ઉપર નહીં પણ નેત્રદામ ઉપર —માતાજીના મંદિર ઉપર ત્રાટકયા છે.” હું ? નેત્રદામ ઉપર? તે માતાજીના મંદિર ઉપર ત્રાટકયા છે? આ સમાચાર વખતસર લાવવા બદલ સાઈમન રદિનની ખાલી પડેલી જગા જા તને આપી દીધી! એ ડાકણે મંદિરના આશરો લીધા છે, અને મંદિર મારા આશરા હેઠળ છે. પણ મંદિર ઉપર હુમલા કરીને એ બદમાશેાએ મારા ઉપર જ હુમલા કર્યો છે; અને હું અત્યાર સુધી એને કોટવાળ ઉપરના હલ્લા માની બેઠા હતા. પણ બસ હવે ત્રિસ્તાં! એ બદમાશે ઉપર તૂટી પડે! માર ! કાપ! જે, અહીં બાસ્તિલમાં ૫૦ ભાલાધર સૈનિકો મળી ત્રણસો ઘોડેસવારો છે. તેમને સાથે લઈ જા ! મશ્કાર દશૅતાપરની ટુકડી છે, તેને લઈ જા; તારાં પેાતાનાં માણસા લઈ જા; હૉટેલ સેંટ પૉલ ઉપર મૉ શ્યાર ડૉફિનના ચાલીસ બાણાવાળી છે, તેમને લઈ જા; પણ બનતી ઉતાવળે સીધા નેત્રદામ તરફ દોડી જા. અહા, પૅરીસના ભટક્લા – ભામટા, તમારી ફ઼ાંસના તાજ સામે બંડ કરવાની આટલી મેાટી હિંમત? તમે માતાજીના મંદિરની શાંતિમાં ખલેલ પહોંચાડો એમ? ત્રિસ્તાં ! કતલ ચલાવ, લાહીની નદી વહેવરાવ; એક પણ ભામટા આજે જીવતા નાસી છૂટવે ન જોઈએ!” અને પછી પેલી ડાકણનું શું કરવું?” “લેકો એનું શું કરવા માગે છે?” “ તે તેને નેત્રદામ મંદિરના આશરામાંથી ખેંચી જવા માગે દેહાંતદંડની સજામાંથી તે છટકી છે, એને અર્થ એવો થાય કે, તેઓ ન જાય એવું જ કરવા ઇચ્છે છે.” “ તે પછી બંડખારોની કતલ કરીને એ ડાકણને ફાંસીએ ચડાવી દેજે.” કૉપનાલે સાથીના કાનમાં કહ્યું – “ ખારસું ! લે!કોને જે ઈચ્છા કરવા બદલ સજા થાય, તે ઇચ્છાના અમલ તો કરો જ!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy