SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ આવતી કાલે નથી! ૨૭૧ “તા હું તમને વિશેષ સમાચાર આપું. તેણે નેત્રદામનું શરણ લીધું છે, એ ખરી વાત; પણ પાર્લમેન્ટ ઠરાવ કરીને એવાં આશ્રયસ્થાનમાંથી પણ ગુનેગારને પકડવાની સત્તા આપી શકે છે; અને ત્રણ દિવસમાં તે તેને ત્યાંથી કાઢીને ગ્રેવે મેદાનમાં ફાંસીએ ચડાવવામાં આવશે. પાર્લમેન્ટે એ માટેની ડિક્રી પસાર કરી દીધી છે!” tr “એ તે બહુ શરમ ભરેલુંગણાય, અને કયા ખવીસે આ રીતે પાર્લમેન્ટ પાસે દોડી જઈને આવી ડિફ્રી મેળવવા ખટપટ કરી હશે વારુ ? પાર્લમેન્ટને પોતાનાં ઘણાં કામ હાય છે; અને એક બિચારી છેકરી, પરંપરા-માન્ય ચાલુ રિવાજ મુજબ નસીબજોગે એવા આશ્રયધામનો આશરો મેળવે, તે। તેમાં પાર્લમેન્ટને કૂદી પડવાની શી જરૂર ?” << ‘દુનિયામાં ઘણા સેતાના હોય જ છે ને? ” પણ આ તે ખરેખર સેતાનનાય બાપનું જ કામ કહેવાય. 66 પણ એ છેાકરીએ તમારી દિગી એકવાર બચાવી હતી, એ વાત તે ખરી ને ?” “ હા; અત્યારના મારા ભટકેલ મિત્રો, તે વવતે મને લટકાવી દેવા જ માગતા હતા. 66 ,, “ તે પછી, તમે પેલીને બચાવવા કાંઈ કરવા માગતા નથી?” " “શી રીતે ? રાજાજીની દયા યાચીને ? ” tr ના રે ના; રાજાએ યાચના મંજૂર જ ન કરે. તેના કરતાં તે વાઘ પાસેથી તેનું હાડકું માગવું વધુ સારું. તમારી પત્નીને નેત્રદામમાંથી જલદી ખસેડવી જોઈએ ત્રણ દિવસમાં તે પાર્લમેન્ટની પેલી ડિકીને અમલ થઈ જશે ~~ કારણ કે, પાર્લમેન્ટની ડિક્રી ત્રણ દિવસ અમલ થયા વિના રહે તા રદ-બાતલ થઈ જાય છે. ઉપરાંત તે પેલી અષ્ટાવક્ર Jain Education International "" - કસીમૉદેશની બગલમાં ભરાઈ છે! સ્ત્રીઓના ગમા-અણગમા પણ કેવા વિચિત્ર હાય છે? પાયેરી મહાશય, મેં બધી બાબતને વિચાર કરી જોયો છે – એને બચાવવાના એક જ માર્ગ છે. ” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy