________________
મહાવીરસ્વામીને આચારધર્મ
વિવિધ દેવયુક્ત ભિક્ષાન્ન જ મળશે; જુદે જુદે ઘેરથી થોડે થોડો ભેગે કરેલે, નિર્દોષ આહાર નહીં જ મળવાનો. વળી ગૃહસ્થ તે ભિક્ષુને કારણે નાના દરવાજાવાળી જગાઓ (લે કે દર્શન કરવા આવશે અને ભીડ થશે એમ માની) મેટા દરવાજાવાળી કરશે; કે મોટા દરવાજાવાળી જગાઓને નાના દરવાજાવાળી કરશે; સમા સ્થાનકાને (કોઈ પેસે નહીં માટે) વિષમ બનાવશે કે વિષમ સ્થાનને સમ બનાવશે; બહુ પવનવાળા સ્થાનકને નિવૃત બનાવશે કે નિર્યાત સ્થાનને પવનવાળું કરાવશે; તથા “અકિચન સાધુને પથારી કરી આપવા યોગ્ય’ કહ્યો છે, એમ માની, ઘરની અંદરની કે બહારની વનસ્પતિ તથા હરિયાળી કપાવી કે તેડાવી નખાવશે તથા તેને માટે સાથરે પથરાવશે. માટે નિર્ગથ સંયમી મુનિએ (જાતકર્મ, વિવાહ વગેરે જેવા) પહેલાં કરાતા કે (શ્રાદ્ધ વગેરે જેવા) પછી કરાતા જમણવારોમાં ભિક્ષા માટે ન જવું. [૨/૫-૭
વળી, જમણવારમાં વધારે પડતું કે વૃષ્ટ ભજન ખાઈપીને બરાબર પચી ન શકવાથી ઝાડા ઊલટી કે શાદિક રોગે પણ થાય. વળી, ત્યાં ભેગાં થયેલાં ગૃહસ્થ, ગૃહસ્થાની સ્ત્રીઓ, સાધુઓ અને
૧. મૂળમાં નીચેના આઠ દેશે જણાવ્યા છે: સાધુને ઉદ્દેશીને તૈયાર કરેલું તે આધાર્મિક; પોતાને માટે રાંધેલું પણ સાધુને માટે અંદર વધુ ગળપણ વગેરે નાખી સારું કરેલું તે ઓશિક; સંયત-અસંયત બધા માટે પહેલેથી રાંધેલું તે મિશ્ર; ખરીદી અાણેલું તે કીત; ઊછીનું આણેલું તે પામિર્ચ; ઝુંટવી આણેલું તે આંચ્છિઘ; સહિયારી માલકીનું બધાની પરવાનગી વિના આપેલું તે અનિસૃષ્ટ; અને ઘેરથી કે બહારગામથી મુનિને સામે લાવીને આપેલું તે અભ્યાહત.
૨. મૂળમાં એસિય અને સિય' શબ્દ છે. એષણ એટલે સ્વીકારવા યોગ્ય અને વૈષિક એટલે માત્ર સાધુ નાણુને આપેલઃ સગે જાણીને કે કાંઈ કામકાજના બદલામાં નહીં આપેલો.
૩. “gણ વિનું નામ લેનાર અલ્પત્તો (મrdar)” એ પાઠ પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org