SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વાસીના આચારધર્મ ભિક્ષા માટે ન જવું. પણ બીજો રસ્તો લાંબા હોય તેાય ત્યાં થઈ તે જવું. [૫/૭-૪] ७२ ભિક્ષા માગવા કેવી રીતે જવું? ભિક્ષુએ ભિક્ષા માગવા જતી વખતે પેાતાનું વસ્ત્ર, પાત્ર, રોયણું વગેરે સર્વ સાધન સાથે લઈ તે જવું. તે જ નિયમ સ્વાધ્યાય કરવા જતી વખતે, મળમૂત્ર કરવા જતી વખતે કે ગામપરગામ જતી વખતે પણ સમજવા. પરંતુ, જ્યારે દૂર સુધી વરસાદ વરસતા જણાય, કે દૂર સુધી ધૂમસ પડતું દેખાય, કે જોરથી વાતા પવનથી ધૂળ ઊડેલી દેખાય, કે ઘણાં જીવજંતુ આમતેમ ઊડતાં દેખાય, તે બધું સાધન સાથે લઈને ભિક્ષા માગવા કે સ્વાધ્યાય વગેરે કરવા ન નીકળવું. (એટલે કે, કાંઈ કારણે જવું પડે તે બધું જ સાથે ન લેવું.) [૩/૮૯] ભિક્ષા માગવા કેવી રીતે ન જવું? ર ભિક્ષુએ ગૃહસ્થને ધેર ભિક્ષા માગવા ફ્રાઈ અન્ય સંપ્રદાયના માણસ સાથે, ગૃહસ્થ સાથે કે પોતાના જ ધર્મના પશુ કુશીલ સાધુ સાથે ન જવું-આવવું; તથા તેમને આહાર ન દેવા કે દેવરાવવા. આ જ નિયમ સ્વાધ્યાયે, દિશાએપ અને ગામપરગામે તીઆવતી વખતે પણ સમજવા. [૧/૯] ભિક્ષુએ ભિક્ષા માગવા જ્તી વખતે ગૃહસ્થના ઘરના ડાળઝાંખરાંથી બંધ કરેલા દરવાજે તેની રજા વિના તથા જીવજંતુ જોયા-ઝાડવા વિના ઉધાડવા નહીં કે અંદર જવું-આવવું નહીં. પ્રથમ ૬ ૧. મૂળ : ‘મદન” = ૨. બ્રાહ્મણ વગેરે યાચક ૩. પેાતે દાષત્યાગી હાઈ ને”(હિ) - એટલું મૂળમાં વધારે છે. ૪. મૂળ : ‘વિહારભૂમિ’એ જતાં. ૫. મૂળમાં ‘વિચારભૂમિ એ જતાં. ૬. ટવયિા । પકરણ’. Jain Education International ગૃહસ્થા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy