________________
૧
ભિક્ષા'
[પિâષણા શ્રીસુધર્મસ્વામી કહે છે: “સર્વ બાબતમાં રાગદંષ વિનાના થઈને તથા પિતાના કલ્યાણુમાં તત્પર રહીને હમેશાં સંયમપૂર્વક વર્તવું એ જ ભિક્ષુ કે શિક્ષણના આચારની સંપૂર્ણતા છે. ભિક્ષાની બાબતમાં કર્મબંધનનો સંભવ વિશેષ હેવાથી, ભગવાન મહાવીરે ને લગતી ઘણી સૂક્ષ્મ સૂચનાઓ કરેલી છે. તે હું કહી સંભળાવું છું, તે તમે બધા સાંભળે.” [૧/૧૪]
ભિક્ષા માગવા ક્યાં જવું? ભિક્ષુએ ઉગ્રકુળ, ભોગમુળ, રાજન્યકુળ, ક્ષત્રિયકુળ, ઈલાકુકુળ, હરિવંશકુળ તથા ગોવાળ, વૈશ્ય, હજામ, સુતાર, ચેકિયાટ અને વણકર વગેરેનાં અતિરસ્કૃત અને અનિંદિત કુળમાં ભિક્ષા માગવા જવું. [૨/૨]
૧. આ બીજા ખંડને ચાર ચડા” એટલે કે ભાગમાં વહેંચી નાખેલ છે. પ્રથમ ચૂડામાં પહેલાં સાત અદયયને છે.
૨. બધે ભિક્ષુ અથવા ભિક્ષણ એમ બને સમજવાં.
૩. ટીકાકારના જણાવ્યા પ્રમાણે, આદીશ્વર જે ક્ષત્રિયોને આરક્ષક પદ ઉપર સ્થાપ્યા તે ઉગ્ર કહેવાયા; જેમને પૂજાસ્થાને સ્થાપ્યા તે ભાગ કહેવાયા; રાજન્ય એટલે મિત્રરાજાઓફ ઈક્વિાકુકુળ તે શ્રી આદીશ્વરનું કુળ; હરિવંશ તે શ્રીનેમિનાથને વંશ પછીનાં ગોવાળ વગેરેનાં કુળ માટે અનુક્રમે એસિચ, વસિષ, ગંડાગ, કાટ્ટાગ, ગામરકખ, અને બેકસાહિત્ય એવા શબ્દ છે.
૪. ટીકાકાર કહે છે કે, ચ મંકાર–ચામડિયા વગેરેનાં કુળ જુગુસિત છે; અને હાસ્યાદિ કુળ ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org