________________
૯. ભગવાન મહાવીરનું તપ
પ
ભાત, સાથવા અને કાળ લૂખાં ખાઈને જ તે નિર્વાહ કરતા. ભગવાને આઠ મહિના સુધી તેા એ ત્રણુ વસ્તુઓથી જ ચલાવેલું. ભગવાન અડધા મહિના કે મહિના સુધી પાણી પશુ ન પીતા. તે રીતે બે મહિના કે છ મહિના સુધી પણુ વિહાર કરતા. હંમેશાં આકાંક્ષા વિનાના તે ભગવાન કાઈ વાર ટાઢું અન્ન ખાતા; તા કાઈ વાર છે, આઠ, દશ કે બાર ટકા પછી જ ખાતા. [૫૮-૬ •]
3
ગામમાં કે નગરમાં જઈને ખીજાને માટે કરેલા આહાર તે સાવધાનપણું શોધતા. આહાર લેવા જવાના માર્ગમાં ભૂખ્યાં તેમ જ તરસ્યાં કાગડા વગેરે પક્ષીઓને બેઠેલાં જોઈ ને, તેમ જ બ્રાહ્મણુ, શ્રમણુ, ભિખારી, અતિથિ, ચાંડાળ, બિલાડા કે કૂતરો એ બધાંને કાઈ ઘર આગળ ઊભેલાં જોઈ ને, તેમને આહાર મેળવવામાં વાંધા ન આવે તેમ જ તેમને અપ્રીતિ ન થાય તે રીતે ભગવાન ત્યાંથી ધીરે ધીરે ચાલ્યા જતા અને બીજે ઠેકાણે અહિંસાપૂર્વક ભિક્ષાની શોધ કરતા. કાઈ વાર પલાળેલા, સૂકા કે ઠંડા અહાર લેતા; ૐ ભ્રૂણા દિવસની ખીચડી, બ્રુસ (બાકળા) અને પુલાગ' પણુ લેતા. એવું પણ ન મળે તેા ભગવાન શાંતભાવે રહેતા. [૬૨-૬૭]
ભગવાન રાગથી અસ્પૃષ્ટ છતાં પેટ ઊણું રાખીને જમતા અને કદી ઔષધ ન લેતા, શરીરનું સ્વરૂપ સમજીને ભગવાન તેની
ન
૧. મૂળ : મંથુ’. (ઠળિયા સહિત બારના ભૂકા ?)
૨. ટીકામાં લૂખા આદન એટલે કાદરા વગેરે, અને કુમાાષ એટલે અડદ વગેરે એવા અર્થે છે.
૩. મૂળ : ગાપિŽાલગ’.
૪. ભૂસું, ફોતરાં અથવા તેમના જેવું નિ:સાર ખાદ્ય, ટીકામાં જીસ એટલે જાના ધાન્યના ભાત અને પુલાગ એટલે જવને ભાત, અવે અર્થ છે.
મ..પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org