SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સ્વામીને આચા૨ધામ કર્યું કે, ઉપાધિવાળે બાળ જીવ હમેશાં બંધાય છે. પછી બધી રીતે કર્મનું સ્વરૂપ જાણીને ભગવાને પાપને ત્યાગ કર્યો. [૧૧-૫ કર્મને બે પ્રકાર સમજીને અસાધારણ જ્ઞાનવાળા મેધાવી ભગવાને કર્મોને નાશ કરવાને અનુરૂપ ક્રિયાને ઉપદેશ કરેલો છે. પ્રવૃત્તિ અને તજન્ય કર્મબંધને સમજીને ભગવાન પોતે નિર્દોષ અહિંસામાં પ્રવર્તતા હતા. ભગવાને સ્ત્રીઓને સર્વ પાપની કારણભૂત સમજીને તેમનો ત્યાગ કર્યો હતો. વસ્તુનું સ્વરૂપ બરાબર સમજીને તે મહાવીર કદી પાપ ન કરતા, બીજા પાસે ન કરાવતા, કે કોઈ કરતો હોય તેને પ્રેરણા પણ ન આપતા. [૧૬-૭, ૬૧. ભગવાને પિતાને માટે તૈયાર કરેલું ભોજન કદી સેવ્યું નથી. કારણ કે, તેમ કરવામાં ભગવાન કર્મને બંધ સમજતા હતા. પાપકર્મમાત્રને ત્યાગ કરતા ભગવાન નિર્દોષ ખાનપાન મેળવીને જ તેનો ઉપભેગ કરતા. તે કદી બીજાના પાત્રમાં ભેજન ન કરતા, કે બીજાના વસ્ત્રનો ઉપયોગ ન કરતા. માનાપમાનનો ત્યાગ કરીને કેાઈનું શરણ ન ઈચ્છતા ભગવાન ભિક્ષા માટે ફરતા. [૧૮-૯ ભગવાન ખાનપાનનું માપ બરાબર સમજતા હતા. તેથી તે રસમાં કદી લલચાતા નહીં તથા તેમની આકાંક્ષા રાખતા નહીં. ૧. કર્મના બે પ્રકાર તે પથિક અને સાંપરાચિક. કષાયાદિપૂર્વક થતાં કર્મો તે સાંપરાચિક; તેમનું ફળ અવશ્ય જોગવવું જ પડે છે. નિર્દોષ જીવન (ઈય) ગાળવા છતાં પાંપણના હાલવાચાલવા વગેરેની અવશ્ય થતી ક્રિયાઓ વડે થતી હિંસા વગેરેથી બંધાતું કર્મ તે પથિક; તે બંધાઈને તરત નાશ પામી જાય છે. ૨. મળમાં આદાનસ્ત્રોત, અતિપાતસ્ત્રોત અને યોગ એવા ત્રણ શબ્દ છે. આદાન સ્રોત એટલે ઈદ્રિયોની દુષ્ટ પ્રવૃત્તિજન્ય કર્મપ્રવાહ અને હિંસાજન્ય કર્મપ્રવાહ તે અતિપાતસ્ત્રોત; મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ તે યોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy