SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ હ. ભગવાન મહાવીરનું તપ કરતા અને કેટલાક લાકડાં બાળતા. તે વખતે જિતેંદ્રિય અને આકાંક્ષા વિનાના તે ભગવાન એ શતને ખુલ્લામાં રહીને સહેતા. કઈ વાર ઠંડી અસહ્ય થઈ પડે, ત્યારે ભગવાન સાવધાનપણે રાત્રે બહાર નીકળીને થેંડું ચાલતા. [૩૬-૮]. વસ્ત્ર વિનાના હેવાથી તૃણના સ્પર્શી, ટાઢના સ્પર્શી, તાપના સ્પર્શી અને ડાંસ તથા મચ્છરના સ્પર્શે – એમ અનેક પ્રકારના સ્પર્શે ભગવાન મહાવીરે સમપણે સહ્યા હતા. [૪૦] રસ્તે ચાલતાં ભગવાન આગળ આગળ પુરુષની લંબાઈ જેટલા માર્ગ ઉપર દૃષ્ટિ દાખીને આડુંઅવળું ન જોતાં, ચાલવાના માર્ગ તરફ જ જોઈને, સાવધાનીથી ચાલતા; કાઈ બોલાવે તે ઘણું ઓછું બોલતા, અને દૃષ્ટિને સ્થિર કરીને અંતર્મુખ રહેતા. તેમને આવા નગ્ન જોઈને તથા તેમનાં સ્થિર નેત્રાથી ભય પામતાં છોકરાં ટોળે વળી તેમને મારતાં મારતાં રડે નાખતાં. [૫, ૨૧] ઉજજડ ઘર, સભાસ્થાન, પરબ અને હાટડાં – એવાં સ્થાનમાં ભગવાન કઈ વાર રહેતા, તે કઈ વાર લુહારની કઢમાં કે પરાળના ઢગલાઓ પાસે, તે કોઈ વાર ધર્મશાળાઓમાં, બગીચાએમાં, ઘરોમાં કે નગરમાં રહેતા હતા. કેઈ વાર સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, કે ઝાડની નીચે રહેતા હતા. આ રીતે એ શ્રમણે તેર વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યા. તે વર્ષો દરમ્યાન રાત-દિવસ યત્નવાન રહીને ભગવાન અપ્રમત્તપણે સામાધિપૂર્વક ધ્યાન કરતા; પૂરી ઊંઘ પણ ન લેતા; ઊંઘ આવતાં, ઊઠીને આત્માને જાગ્રત કરતા. કોઈ વાર તે આડે પડખે થતા, પણ તે નિદ્રાની ઈચ્છાથી નહીં. કદાચિત નિદ્રા આવતી તે તેને પ્રમાદ વધારનારી સમજી, ભગવાન ઊઠીને તેને દૂર કરતા. કોઈક વાર મુહૂર્ત સુધી રાત્રે ચંક્રમણ કરતા. [૪૯]. - તે રહેઠાણમાં ભગવાનને અનેક પ્રકારનાં ભયંકર સંકટ પડયાં. તે તે સ્થળમાં રહેનારાં જીવડાં કે પક્ષીઓ તેમને ઉપદ્રવ કરતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy