________________
૬૨
મહાવીરસ્વામીને આચારધમ
હલકા માણસો પણ ભગવાનને ઘણો ત્રાસ આપતા. કેઈ વાર ગામના રખવાળો હાથમાં હથિયાર લઈને ભગવાનને કનડતા. કોઈ વાર વિષયવૃત્તિથી સ્ત્રી કે પુરુષે ભગવાનને એકલા જાણીને હેરાન કરતાં. રાત્રે એકલા ફરનાર કે તે તે સ્થાનોમાં એકલા રહેલા ભગવાનને જોઈને તેમને પૂછતા. જ્યારે ભગવાન જવાબ ન આપતા, ત્યારે તેઓ ભગવાન ઉપર ચિડાઈ જતા. કેાઈ એમ પૂછતું કે વચ્ચે આ કેણુ છે ? તે “હું ભિક્ષુ છું એમ ભગવાન કહેતા. વધારે નહીં બોલતા ભગવાન ઉપર તેઓ ગુસ્સે થઈ જતા; તે પણ ભગવાન સમભાવથી ધ્યાન જ કર્યા કરતા. ભગવાનને એ ઉત્તમ ધર્મ હતો. [૩૦-૧, ૩૪-૫] - જ્યાં બીજા અનેક લેકોનો ઉતારે હોય એવાં સ્થાનમાં રહેતી વખતે ભગવાન સ્ત્રીઓ સામે નજર પણ ન કરતા, પરંતુ અંતર્મુખ રહીને ધ્યાન ધરતા. ગૃહસ્થા સાથે પણ તેઓ કશે સંબંધ ન રાખતા અને ધ્યાનમાં જ મગ્ન રહેતા. કોઈ પૂછે તે પણ તેનો જવાબ નહોતા આપતા. કોઈ તેમને પ્રણામ કરતું તે તેના તરફ પણ નજર નહેતા કરતા. એવે વખતે તેમને નિપુણ્ય મનુષ્ય દ્વારા માર તેમ જ ત્રાસ પડત. તે બધું તે સમભાવે સહેતા. તે જ પ્રમાણે આખ્યાનો, નાટક, ગીતે, દંડયુદ્ધો અને મુષ્ટિયુદ્ધો તથા પરસ્પર કથામાં લીન થયેલા લેક તરફ પણ કશી ઉત્સુકતા રાખ્યા વિના તે શકરહિત જ્ઞાતપુત્ર મધ્યસ્થ દષ્ટિ રાખતા. સહી ન શકાય એવાં દુઃખો વટાવીને પરાક્રમ કરતા તે મુનિ સર્વત્ર સમભાવે રહેતા; તથા એ મોટાં સંકટો પાર કરતાં કોઈનું શરણ ન શોધતા. [૬-૧૦]
દુર્ગમ એવા લાઢ પ્રદેશમાં, વજભૂમિમાં અને શુભભૂમિમાં પણ ભગવાન વિચર્યા હતા. ત્યાં તે તેમને તદ્દન હલકી જાતનાં શવ્યા
૧. મુશદાબાદની નવાબીમાં આવતે રાઢ વજભૂમિ અને શુભ્ર ભૂમિ એ તેના જ પ્રદેશનાં નામ હશે. એ શ્લોક ૪૫. તેમાં વજભૂમિનું વર્ણન કરી, તે એવા દુર્જન લાટમાં એમ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org