________________
૮. વિમેહ
પહ
ટિપ્પણ
ટિપ્પણ નં. ૧, કામવાસના માટે મૂળમાં માત્ર “શીતસ્પર્શ' શબ્દ છે. ટીકાકાર તેને ટાઢ તડકે વગેરેના ઉપદ્રવો” તથા “સ્ત્રીના ઉપદ્રવો’ એ અર્થ લે છે અને જણાવે છે કે, કઈ દુષ્ટ સ્ત્રી ઘરમાં ફસાવીને લઈ જાય અને ત્યાંથી ભ્રષ્ટ થયા વિના જીવતા પાછા નીકળવું અશકય જણાય; ત્યારે ગળે ફાંસો ખાઈને કે ઝેર ખાઈને કે ગમે તે પ્રકારે આત્મહત્યા કરવી. અથવા કોઈ નબળા શરીરના ભિક્ષુને ટાઢ તડકે કે રેગનું દુઃખ પિતાથી લાંબે વખત સહન નહીં કરી શકાય એમ લાગે, ત્યારે તે પણ તેમ કરે. સંયમની પ્રતિજ્ઞાનું પાલન અશક્ય થઈ જાય, ત્યારે જૈન શાસ્ત્રમાં ભક્તપરિજ્ઞા, ઇત્વરિત અને પાદપપગમન એ ત્રણ મરણ વિહિત છે; પરંતુ તે મરણે દઢ સંકલ્પવાળા માણસ માટે છે અને તેમાં ખાનપાનને ત્યાગ કરીને મરવાનું હોઈ વખત વધારે જાય છે. પરંતુ જ્યારે કટોકટીને સમય આવે, ત્યારે ફાંસે ખા વગેરે નિષિદ્ધ મરણને પણ આશરો લે, પરંતુ નિયમ ન છોડ, એમ કહેવાને અહીં આશય છે. ટીકાકાર વધુમાં એક અગત્યનું કથન કરે છે કે, મૈથુન સિવાય બીજી કોઈ વસ્તુને જૈન શાસ્ત્રમાં એકાંત નિષેધ નથી. કોઈ પણ વસ્તુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી એક વખત નિષેધ હોય, તો બીજે પ્રસંગે તેનું વિધાનેય હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org