________________
મહાવીરસ્વામીને આચારધર્મ
શરીરના સર્વ વ્યાપાર અને શરીરની ગતિનો ત્યાગ કરે. બીજી અવસ્થાઓ કરતાં આ તેની ઉત્તમ અવસ્થા છે. તે બ્રાહ્મણે પિતાના સ્થાનને બરાબર તપાસીને અનશન આદરવું. અને બધાં ગાત્રોને નિરોધ થાય તે પણ પિતાના સ્થાનથી ભ્રષ્ટ ન થવું. મારા શરીરમાં દુ:ખ નથી એમ સમજીને સમાધિમાં સ્થિર રહેવું અને કાયાને બધી રીતે ત્યાગ કરે. જીવતાં સુધી સંકટ અને આપત્તિઓ આવવાનાં જ, એમ સમજીને શરીર(-ની મમતા)ને ત્યાગ કરી, પાપને અટકાવનાર પ્રજ્ઞાવાન ભિક્ષએ બધું સહન કરવું. ક્ષણભંગુર એવા શબ્દાદિ પુષ્કળ કામમાં રાગ ન કરવો અને કીર્તિને અચલ સમજીને તેમાં લેભ ન રાખે. કોઈ દે તેને માનષિક ભોગોની અપેક્ષાએ શાશ્વત એવી દિવ્ય વસ્તુઓથી લલચાવે, તે એવી દેવામાયા ઉપર શ્રદ્ધા ન રાખવી, અને તેનું સ્વરૂપ સમજીને તેને ત્યાગ કરવો. બધા અર્થોમાં અમૂછિત અને સમાધિથી આયુષ્યનો પાર કરનાર તે ભિક્ષુએ તિતિક્ષાને ઉત્તમ વિમેહરૂ૫ અને હિતરૂપ સમજીને સમાધિમાં રહેવું. [૨૬, ૧૯-૨૫]
અનુક્રમે કહેલા એ ત્રણે મરણુવિધિઓને, સાંભળીને તેમને અપૂર્વ જાણીને અને દરેક તપના બાહ્ય અને આત્યંતર એવા બે પ્રકાર ખ્યાલમાં રાખીને, ધીર, વસુમાન, પ્રજ્ઞાવાન અને બુદ્ધિ પુરુષ ધર્મના પારગામી થાય છે. [૧-૨]
૧. એટલે કે તે અવસ્થામાં રાજા પિતાની કન્યા અને રાજ્ય આપવા તૈયાર થાય તો પણ તેની ઇચ્છા ન કરવી.
૨. વિમેહ એટલે “વિમેહ પુરુષોએ સ્વીકારેલ વિધિ -એટલે અહીં અનુક્રમે વર્ણવેલા ત્રણ મરણવિધિ. તે ત્રણે મરણવિધિમાં પ્રધાન વસ્તુ તિતિક્ષા છે.
૩. એટલે કે શરીરથી તપ સ્વીકારે અને મન છૂટું રાખે છે તે નકામું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org