________________
૮. વિમેહ
પ૭
પ્રકારને શરીરને ઉપચાર ન કરાવો. તેમ કરતાં ઈદ્રિ અકડાય તે તેમને રીતે હેરવવી ફેરવવી. તેમ કરવા છતાં તે અગહ્યું, અચલ અને સમાહિત કહેવાય છે. મન સ્વસ્થ રહે અને શરીરને કાંઈક ટેકે મળે તે સારુ તે ચંક્રમણ કરે કે શરીરને સંકોચે કે પહેલું કરે, પણ બની શકે તે તો અચેતનની પિઠે સ્થિર જ રહે. થાકેલે ભિક્ષુ આમતેમ આટાં મારે, અથવા ગાને સંકેચીને બેસે. બેસતાં થાકી જાય તો છેવટે શયન પણ કરે. ૨૧-૨, ૧૨-૬]
આ જાતના અદિતીય મરણને સ્વીકારીને ઈદ્રિયને વશમાં રાખે. શરીરને ટેકવવા માટે જે પાટિયું મેળવ્યું હોય, તે ઊધઈ વગેરેથી ભરેલું હોય તે તેને ત્યાગ કરી, બીજું છવરહિત એવું શોધે. જેનાથી પાપ ઉત્પન્ન થાય તેવું કશું અવલંબન ન કરે. બધાં દુઃખોને સહન કરે અને તે વડે આત્માને ઉત્કૃષ્ટ બનાવે. સત્યવાદી, ઓજસ્વી, પાર પામેલે, ખટપટ વિનાને, વસ્તુના સ્વરૂપને સમજનાર, સંસારમાં નહીં ફસેલો એવો તે ભિક્ષુ ક્ષણભંગુર શરીરની મમતા છોડીને અને અનેક સંકટ સહન કરીને, જિનશાસનમાં વિશ્વાસ કરતે ભયને તરી જાય છે. એ તેને મરણને અવસર છે, એ તેના સંસારને છેદ કરનારું છે, તે જ વિહાયતન, હિત, સુખ, ક્ષેમ અને હમેશને માટે નિઃશ્રેયસરૂપ છે. [
૧૮, ૨૨૨]
તેનાથી પણ નીચે પ્રમાણેને મરણુવિધિ ચડિયાત છે. તેણે ઘાસ માગી લાવી પથારી પાથરી, તેના ઉપર બેસી તે સમયે
૧. આ વાક્ય લખવાનું કારણ એ જણાય છે કે, પાદપેપગમન મરણવિધિમાં શરીર અકડાય તે પણ હરવાફરવાનું નથી હોતું, પરંતુ જેણે પિતાના અસામને લીધે તે વિધિ નથી સ્વીકાર્યો અને તેનાથી હળવે “ઇલ્વર વિધિ સ્વીકાર્યો છે, તે હરેફરે તેથી તેના તપની કિંમત ઓછી થતી નથી.
૨. ઇત્વરિત મરણના સ્વીકારની લાયકાત કઈ હોવી જોઈએ તે જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org