________________
મહાવીરસ્વામીને આચારધમ
જોઈએ કે, “હે આયુષ્યન્ ! તમે આણેલું આ ખાનપાન મને ખપે તેમ નથી.” ર૧૬ !
કોઈ ભિક્ષુનો એવો નિયમ હોય કે, “હું બીમાર પડું તોપણ બીજોને મારી સેવા કરવાનું કહું નહીં, પણ એ સ્થિતિમાં સમાન ધર્મવાળા જે આપમેળે મારી સેવા કરવાનું કહે તો તે સ્વીકારું; અને તે જ પ્રમાણે હું સારો હોઉં ત્યારે બીજો કોઈ સમાનધમી બીમાર હોય તે તે ન કહે છતાં મારે તેની સેવા કરવી,” – તે તે ભિક્ષુ તે પ્રકારે સ્વીકારેલા નિયમને બરાબર સમજીને વળગી રહે. [૧૧૭]
- તે પ્રમાણે કઈ ભિક્ષુન એવો નિયમ હોય કે, બીજાની સેવા હું કરીશ, પણ મારી બીજા પાસે નહીં કરાવું; કે બીજાની સેવા હું નહીં કરું. પણ બીજા મારી કરશે તે ના નહીં પાડું; કે બીજાની સેવા હું નહીં કરું, તેમ જ બીજા પાસે મારી કરાવીશ પણ નહીં – તે તે દરેક નિયમને બરાબર સમજીને વળગી રહેવું. [૨૧]
વળી કેઈ ભિક્ષુના મનમાં એમ હોય કે હું બીજા ભિક્ષુઓને ખાનપાન વગેરે લાવી આપીશ, અને તેમનું લાવેલું લઈશ પણ ખરે; અથવા બીજા ભિક્ષુને હું લાવી આપીશ પણ તેમનું લાવેલું લઈશ નહીં; અથવા હું બીજાને લાવી નહીં આપું, પણ તેમનું લાવેલું લઈશ ખરે; અથવા હું તેમને લાવી આપીશ પણ નહીં, તેમ જ તેમનું લાવેલું લઈશ પણ નહીં; અથવા મેં ગ્ય રીતે મેળવેલાં અને મારા ખપ કરતાં વધારાનાં ખાનપાન વગેરે દ્વારા જ સમાનધર્મીની સેવા કરીશ, અને બીજે પણ મારી તે રીતે સેવા કરશે તે જ સ્વીકારીશ, – તે તે ભિક્ષુએ તે પ્રકારે સ્વીકારેલા નિયમને બરાબર વળગી રહેવું. [૨૨૫.
૧. મૂળમાં : ધર્મને'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org