SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. વિમેહ સ્મશાનમાં, ઉજ્જડ ઘરમાં, ગિરિગુહામાં, વૃક્ષ નીચે, કુંભારને ઘેર કે બીજે કયાંય સાધના કરતા રહેતા, બેસતા, વિશ્રાંતિ કરતા અને વિચરતા ભિક્ષુને કોઈ ગૃહસ્થ આવીને ખાનપાન, વસ્ત્ર વગેરે માટે નિમંત્રણ આપે, અને તે વસ્તુઓ હિસા કરીને, ખરીદી લાવીને, ઝૂંટવી લાવીને, બીજા કોઈની ઉપાડી લાવીને અથવા પિતાને ઘેરથી સામે લાવીને આપવાનું કહેવું કે તેને માટે મકાન ચણાવી આપી તેને ખાઈ પીને ત્યાં જ રહેવાનું કહે; તો ભિક્ષુએ તેને કહેવું કે, હે આયુષ્મન, તારું કહેવું મને કબૂલ નથી, કેમ કે તેવી પ્રવૃત્તિઓને મેં ત્યાગ કર્યો છે. ૨૦૨] સ્મશાનાદિમાં રહેતા ભિક્ષુને જમાડવા માટે કે રહેવા માટે કોઈ ગૃહસ્થ હિંસાદિક કરી મકાન ચણવે, કે ખાનપાન તૈયાર કરે, અને તે વાતની ભિક્ષને પિતાની સહજબુદ્ધિથી ખબર પડે કે કોઈના કહેવાથી કે બીજા પાસેથી સાંભળીને ખબર પડે, તેપણું તેણે તરત જ તે ગૃહસ્થને ઉપર પ્રમાણે ના કહી દેવી. [૨૦૩ ભિક્ષુને પૂછીને કે પૂછયા વિના તેને માટે ગૃહસ્થ મેટ ખર્ચ કર્યો હોય અને પછી ભિક્ષુ તે વસ્તુઓનો સ્વીકાર કરવાની ના પાડે, તેથી ગુસ્સે થઈ તે ગૃહસ્થ તેને મારે કે મરાવે અથવા હેરાન કરે, તપણુ વીર ભિક્ષુએ તે દુઃખને બરાબર સહેવાં; અથવા સામે ગૃહસ્થ બુદ્ધિમાન હોય તે તેને તર્કથી પિતાને આચાર સમજવો. તેમ બને તેવું ન હોય તો મૌન રહેવું. [૨૦] ભિક્ષુ કે ભિક્ષુણીએ ખાનપાન ખાતા-પીતી વખતે તેને સ્વાદ માટે મેંમાં એક બાજુથી બીજી બાજુ ફેરવવું નહીં. આમ કરનાર, ૧. મૂળમાં નીચેની વિગતે છે - તેના ઉપર કોપ કરે, તેને હણે, બીજા પાસે માર મરાવે કે હણવે, અંગપ્રત્યંગે છે, બળવે, અથવા તેને રંધાવે, તેનાં કપડાં વગેરે ખેંચી લે, અને એ પ્રમાણે તેને હેરાન કરે ,, ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy