________________
५०
મહાવીર સ્વામીને આચારધર્મ
ત્રણ મહાવ્રતનું સ્વરૂપ બરાબર સમજીને આર્ય પુરુષ ઉદ્યમવંત થાય. ઊંચે, નીચે, અને તીરછે એમ બધી દિશામાં પ્રવૃત્તિમાત્રથી પ્રત્યેક જીવને થતું દુ:ખ સમજીને બુદ્ધિમાન પુરુષ સકામ પ્રવૃત્તિઓ કરે નહીં, કરાવે નહીં, કે કરનારને અનુમતિ ન આપે. જેઓ તેવી પ્રવૃત્તિઓ કરે છે, તેમનાથી સંયમી પુરુષ શરમાય. વિવિધ પ્રવૃત્તિઓનું સ્વરૂપ સમજીને સંયમી કોઈ પણ પ્રકારનો આરંભ ન કરે. જે પાપકર્મમાંથી નિવૃત્ત છે, તે જ સાચે વાસનાહિત છે.* રિ૦૦-૧
સંયમી ભિક્ષુએ પિતાના ભિક્ષાને લગતા આચાર બરાબર જાળવવા એમ બુદ્ધ પુરુષોએ જણાવેલું છે. [૨૦૪
સ્વધર્મ કે પરધમને ખાન, પાન, મે, મુખવાસ, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રાયણુ દેવાં નહીં, તે માટે તેમને નિમંત્રણ ન આપવું, તથા તે વસ્તુઓ વડે અત્યંત આદરબુદ્ધિથી તેમની સેવા પણ ન કરવી. [૧૯૭
ખાસ કરીને સદ્ધર્મીએ અસદ્ધમને ખાન, પાન, વસ્ત્ર વગેરે આપવાં નહીં, કે તે વસ્તુઓ માટે નિમંત્રણ આપી તે વડે તેમની સેવા પણ કરવી નહીં, પરંતુ સદ્ધર્મીએ જરૂર પડ્યે સદ્ધર્મીની તે પ્રકારે સેવા કરવી. ર૦૫-૬]
૧. મૂળમાં “ચામ” શબ્દ છે. પાર્શ્વનાથને ધર્મ ચાર ધામવાળે હતા. મહાવીરને પાંચ ચામવાળે હતો. અહીં વળી ત્રણ જ યામ કહ્યા છે.
૨. વાસનારહિત હોઈ સ્વાભાવિક પ્રવૃત્તિ કરવાને દંભ કરનારાઓને વિરોધ કરવા, તેમના સિદ્ધાંતને ઊલટાવીને અહીં રજૂ કર્યો છે.
૩. અહીં સુધી, સાધુઓએ અંદરોઅંદર આ પ્રમાણેની લેવડદેવડની પ્રવૃત્તિ ન કરવી; અથવા કઈ તે ન જ કરવી અને કઈ કરવી – એ જાતને નિયમ જણાવ્યું. હવે સાધુએ પિતે ગૃહસ્થ પાસેથી ભિક્ષાવસ્તુ કેવી રીતે, કથારે લેવી – ન લેવી તેની વિગતમાં ઊતરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org