________________
૬. કમરનાશ
પ્રાણીઓને માટે પાણીમાં કદી ન ડૂબતા) “અસંદીને બેટ જેવો છે. આર્યોએ કહેલે ધર્મ પણ એવો છે. ૧૯૫, ૧૮૭]
તેજસ્વી, શાંત દષ્ટિવાળા અને વેદવિત સંયમીએ લેક ઉપર કૃપા કરીને અને તેનું સ્વરૂપ સમજીને ધર્મનું કથન કરવું તથા તેનું વિવેચન કરવું. સત્ય માટે ઉદ્યમવંત થયેલા કે નહીં થયેલા એવા સાંભળવાની ઈચ્છાવાળા સર્વને સંયમીએ ધર્મ સમજાવો. ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી, શાંતિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણુ, શૌચ,
જુતા, નિરભિમાનતા, અપરિગ્રહીપણું અને અહિંસારૂપી ધર્મ તેણે ઉપદેશો. [૧૯૪)
એ પ્રમાણે ધર્મને કહેતે ભિક્ષુ પિતે તકલીફમાં પડતો નથી કે બીજાને પણ તકલીફમાં નાખતે નથી; તથા કેઈ ભૂતપ્રાણીને પણ પીડા કરતું નથી. આવો ઉપદેશક મહામુનિ દુઃખમાં પડેલાં સર્વ ભૂતપ્રાણીઓને “અસંદીન” બેટની પેઠે શરણુરૂપ થાય છે. જેમ પક્ષી પિતાનાં બચ્ચાંને ઉછેરે છે, તેમ ઉદ્યમવંત નહીં થયેલાઓને તે મેધાવી ભિક્ષુ રાત અને દિવસ શાસ્ત્ર ઉપદેશીને ધીરે ધીરે તૈયાર કરે છે, એમ હું કહું છું. ૧૯૫, ૧૮૭
કેટલાક નબળા મનના પુરુષ ધર્મ સ્વીકારીને પણ પાળી શકતા નથી. અસહ્ય કષ્ટોને સહન ન કરી શકવાથી તેઓ મુનિપર્ણ છોડીને કામે તરફ મમતાથી પાછા ફરે છે. ફરી સંસારમાં પડેલા તે લોકોના ભેગે વિધ્રોવાળા હાઈ અધૂરા જ રહે છે. તેઓ તત્કાળ કે થોડા વખત બાદ મરણ પામે છે અને પછી લાંબો વખત સંસારમાં રખડ્યા કરે છે. [૧૮૨
કેટલાક કુશીલ પુરુષે જ્ઞાનીઓ પાસેથી વિદ્યા મેળવીને ઉપશમને ત્યાગ કરી ઉદ્ધત થઈ જાય છે. કેટલાક બ્રહ્મચર્યમાં
૧. મૂળમાં, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રાયણું છોડીને એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org