SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને આચારધર્મ જે ભિક્ષ વસ્રરહિત છે, તેને “મારું વસ્ત્ર જૂનું થયું છે, મારે બીજે વસ્ત્ર કે સેયરે માગવાં પશે, અને તેને સાંધવું પડશે, એવી કશી ફિકર હોતી નથી. વસ્રરહિત રહીને સંયમમાં પરાક્રમ કરતા તે ભિક્ષને ઘાસ ખૂંચે છે, ટાઢ વાય છે, તાપ લાગે છે, ડાંસ-મચ્છર કરડે છે,-એમ અનેક પ્રકારનાં દુઃખો સહન કરવા પડે છે. પરંતુ તે દુ:ખને સહન કરતે અને ઉપકરણના ભાર વિનાને તે અવસ્ત્ર મુનિ તપની વૃદ્ધિ કરે છે. ભગવાને આ હકીક્ત જે રીતે જણાવી છે, તે રીતે તેને બરાબર સમજવી જોઈએ. [૧૮૫. એકલે ફરતો તે મુનિ હલકાં કુળમાં ફરીને નિર્દોષ ભિક્ષા મેળવી વિચરતો રહે. વસ્ત્રરહિત રહેતા મુનિએ પેટ ઊણું રાખીને ખાવું. સંયમી અને જ્ઞાની પુરુષોના બાહુ દૂબળા હોય છે. તેમનામાં માંસ તથા લેહી ઓછાં હોય છે. [૧૮૩-૪, ૧૮૬ કમેને નાશ કરત સંયમી મુનિ તેમના સ્વરૂપને બરાબર સમજીને સંયમથી ક્રોધાદિ કષાયને નાશ કરે છે. જે પ્રવૃત્તિઓમાં હિંસક લોકોને જરા પણ ત્રાસ છૂટતો નથી, તે પ્રવૃત્તિઓનું સ્વરૂપ જેણે બરાબર જાણેલું છે, તે ક્રોધ, માન, માયા અને લેભને તરી શકે છે, અને તેને જ ક્રોધાદિને નાશ કરનારે કહે છે. [૧૮૪, ૧૯૫). * ઉદ્યમવંત, સ્થિતાત્મા, અરાગી, અચલ, એક સ્થળે નહીં રહેનાર અને જેનું ચિત્ત બહાર નથી એવો તે મુનિ શાંતિથી વિચર્યા કરે છે. ભેગોની આકાંક્ષા નહીં રાખતે અને પ્રાણોને નહીં હણતો એ તે દયાળુ ભિક્ષુ મેધાવી (બુદ્ધિમાન) કહેવાય છે. સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતે અને ઉદ્યમવંત એ તે ભિક્ષુ ૧. મૂળમાંઃ સંવિસ્તારને કરાઈમ, વુક્ષહિરણામે, પરિણામ, પારિરૂમ (સાંધવું પડશે, સીવવું પડશે, ખીલવું પડશે, ફાડવું પડશે, પહેરવું પડશે, ઓઢવું પડશે, એમ વિગત છે. ૨. સારું ખાવાનું મળે તે માટે ધનવાન કે રાજવંશી કુટુંબમાં નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy