________________
મહાવીર સ્વામીને આચારધર્મ
રહેવા છતાં ભગવાનની આજ્ઞાને નથી અનુસરતા. કેટલાક વળી સારી રીતે જીવવાનું મળશે એ આશાએ જ્ઞાનીઓએ કહેલી વાતે સાંભળ્યા કરે છે, તે કેટલાક સંસારને ત્યાગ કર્યા પછી થાકી જઈ કામથી બળતા તથા કામમાં આસક્તિવાળા બની, બતાવેલા સંયમને પાળવાને બદલે ગુરુની સામે થઈ જાય છે. [૧૮૮]
તેવા મંદ પુરુષે બીજા શીલવંત, ઉપશાંત અને વિવેકથી વર્તતા ભિક્ષુઓને, “તમે શીલ વિનાના છે, એમ કહે છે ! મંદ પુરુષની એ બીજી મૂર્ખાઈ છે. [૧૮]
કેટલાક સંયમમાંથી ચુત થયેલા હોય છે, પણ બીજાની આગળ શુદ્ધ આચારની વાત કરે છે, તે કેટલાક આચાર્યને નમતા રહેતા છતાં જ્ઞાનભ્રષ્ટ અને દર્શનભ્રષ્ટ હોવાથી, જીવિતને વેડફી નાખે છે. સંયમ સ્વીકાર્યા બાદ વિધ્રો આવી પડતાં, સુખાર્થી થઈ ફરી અસંયમી થનારા એવા ઈદ્રિના વશવત અને કાયર પુરુષે લીધેલી પ્રતિજ્ઞાઓને નાશ કરે છે. એવાઓની પ્રશંસા પણ પાપરૂપ છે. તે પ્રમાણે વિભ્રાંત છે, વિભ્રાંત છે. [૧૯૦-૧, ૧૯૩]
તેવાઓનું નિષ્ક્રમણ તે દુનિષ્ક્રમણ છે. નિંદાને પાત્ર તે પુરુષ વારંવાર જન્મમરણને પામ્યા કરે છે. અવિદ્યાવાળા તેઓ પિતાને વિદ્વાન માનીને, હું જ મોટો છું એવી બડાઈ કરે છે. તેઓ બીજા તટસ્થ સંયમીઓ તરફ ઉદ્ધત થાય છે અને તેમની સામે ગમે તેમ બેલે છે. [૧૧]
બાળક જેવા મૂઢ તે અધર્મીઓ હિંસાથી થઈને બેલે છે કે, પ્રાણેને હણો!” તેઓ ભગવાને કહેલા દુષ્કર ધર્મની ઉપેક્ષા કરે છે. તેઓને આજ્ઞાના વિરાધક, કામમાં ખૂંચેલા અને વિતંડી કહેલા છે. [૧૯૨]
સંયમ માટે ઉદ્યત થયેલાઓની સાથે રહેવા છતાં તેઓ અવિનયી હોય છે; અને વિરક્ત તથા જિતેંદ્રિય પુરુષની સાથે રહેવા છતાં તેઓ અવિરક્ત અને અદાન હેમ છે. [૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org