________________
૫. લોકસાર
વાણી ત્યાંથી પાછી ફરે છે, ત્યાં કે તર્ક પહોંચતું નથી, અને બુદ્ધિ પેસી શકતી નથી. જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે; અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. જેનાથી જણાય છે તે આત્મા છે. તેવા આત્માને જાણતો હોવાથી આ મનુષ્ય આત્મવાદી કહેવાય છે. સમભાવ એ તેને સ્વભાવ છે. જેને બીજો કોઈ આધાર નથી તેવા અપ્રતિષ્ઠ આત્માને ઓજસ્વી મનુષ્ય આ પ્રમાણે જાણે છે :– [૧૭૦, ૧૬૬),
તે લાંબો નથી, કે નથી, ગેળ નથી, ત્રાંસે નથી, ચોરસ નથી અને મંડળાકાર પણ નથી. તે કાળો નથી, લીલે નથી, રાતે નથી, પી નથી અને ઘેળો પણ નથી. તે સુગંધી નથી કે દુર્ગધી નથી, તે તીખે નથી, કડવ નથી. તુ રે નથી, ખાટે નથી અને મીઠે નથી. તે બરછટ નથી, કેમળ નથી, ભારે નથી, હલકે નથી. તે ટાઢે નથી, ઊનો નથી, ચીકણે નથી તેમ જ લૂખ નથી. તે શરીરરૂપ નથી. તે ઊગતું નથી. તે સંગી નથી. તે સ્ત્રી નથી, પુરુષ નથી અને નપુંસક નથી. તે જ્ઞાતા છે. તે વિજ્ઞાતા છે. તેને કશી ઉપમા નથી. તે અરૂપી સત્તા છે. તે શબ્દાતીત હોવાથી તેને કઈ શબ્દ નથી. તે શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી – એમાંનું કાંઈ નથી, એમ હું કહું છું. [૧૭૧]
3
જિનાએ જ સત્ય અને નિઃશંક વસ્તુ જણાવી છે', એ પ્રમાણે જિનપ્રવચનને સત્ય માનતા, શ્રદ્ધાવાળા, સમજણ પામેલા અને બરાબર પ્રત્રજ્યાને પાળતા એવા મુમુક્ષને કઈ વાર આત્મપ્રાપ્તિ થાય છે, તે કઈ વાર જિનપ્રવચનને સત્ય માનનારાને આત્મપ્રાપ્તિ નથી પણ થતી. તેમ જ, કેટલાક એવા હોય છે કે જેમને જિનપ્રવચન સત્ય નથી ભાસતું અને છતાંય આત્મપ્રાપ્તિ થાય છે, તે કેટલાક એવા હોય છે કે જેમને જિનપ્રવચન સત્ય નથી ભાસતું અને આત્મપ્રાપ્તિ પણ નથી થતી. [૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org