________________
મહાવીરસ્વામીને ચારધામ ઇચ્છે છે, તે વીર પુરુષે હંમેશાં જ્ઞાનીના કહ્યા પ્રમાણે પરાક્રમ કરવું. [૧૬૭, ૧૬૮].
ગુરુપરંપરાથી જ્ઞાનીને ઉપદેશ જાણ; અથવા સ્વાભાવિક સ્મરણશક્તિથી કે બીજાના કહેવાથી કે બીજા પાસેથી સાંભળીને જાણુ. ગુરુની આજ્ઞાને કદી ઉલ્લંઘવી નહીં અને બધે પ્રકારે બરાબર સમજીને સત્યને જ ઓળખવું. [૧૬૭-૮]
જેને તું હણવા માગે છે તે તું જ છે; જેને તું તાબે કરવા માગે છે તે પણ તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે તે પણ તું જ છે, જેને તું દબાવવા માગે છે તે પણ તું જ છે તથા જેને તું મારી નાખવા માગે છે તે પણ તું જ છે. આમ જાણી, તે સરળ અને પ્રતિબુદ્ધ માણસ કેઈને હણ નથી કે હણવતે નથી. [૧૬૪-૫]
ઉપરનીચે અને આજુબાજુ બધે કર્મના પ્રવાહ વહ્યા કરે છે. એ પ્રવાહથી આસક્તિ થાય છે અને તે સંસારમાં રખડવાનું કારણ છે એમ સમજી, વેદવિત્ પુરુષ એમનામાંથી દૂર રહે. એ પ્રવાહને ત્યજીને અને તેમાંથી બહાર નીકળી જઈને એ પુરુષ અકર્મા થાય છે. તે બધું બરાબર સમજે છે કે જાણે છે. જન્મ અને મરનું સ્વરૂપ સમજીને તે કશાને અભિલાષ કરતો નથી. તે જન્મમરણના માર્ગને ઓળંગી જાય છે. જેનું મન ક્યાંય બહાર નથી કરતું, એ તે સમર્થ મહાપુરુષ કશાથી અભિભવ પામ્યા વિના નિરાવન લંબનતામાં રહી શકે છે. [૧૬૯, ૧૬૭].
જ
છે
૧. મૂળમાં: આગમ પ્રમાણે છે. ૨. મૂળમાં: વાણમાં પ્રવાદ – ગુરુપરંપરાથી. ૩. મૂળમાંઃ “દસમુદા” જુઓ પા. ૩ ઉપર નોંધ.
૪. ભેગપાર્થોના આલંબન વિના રહી શકે છે; એટલે કે આત્મતિ, આત્મકીડ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org