________________
મહાવીરસ્વામીને આચારધમ વિનયવાન શિષ્ય તેમની સર્વ પ્રકારે સેવા કરવી જોઈએ તથા તેમની આજ્ઞાને વશ રહીને જ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. એમ કરનારે સંયતી ઇન્દ્રિયોને પરાજય કરીને સત્ય વસ્તુ જોઈ શકે છે. [૧૫૬, ૧૬૭
સંશયાત્મા મનુષ્ય સમાધિલાભ કરી શકતું નથી. કેટલાક સંસારમાં રહીને તેવા જ્ઞાનીઓને અનુસરે છે, અને કેટલાક ત્યાગી થઈને અનસરે છે. તેમ કરવામાં પાછળ પડનારાઓ પ્રત્યે જ્ઞાનીને અનુસરનારાને નિર્વેદ કેમ ન થાય ? [૧૬૧
જેને હજુ વય અને જ્ઞાનની યોગ્યતા નથી, તેવા કાચા ભિક્ષુએ જ્ઞાની પુરુષની ઓથ વિના ગામેગામ એકલા ન ફરવું. જ્ઞાની પુરુષની આજ્ઞા બહારનું તેનું બધું જ પરાક્રમ વ્યર્થ છે. [૧૫૬]
કેટલાક મનુષ્યોને શિખામણ આપવામાં આવે તે પણ ગુસ્સે થાય છે. એવા ગર્વિષ્ઠ મનુષ્ય મહામોહથી મૂઝાયેલા રહે છે. એવા અજ્ઞાની અને અંધ મનુષ્યને ન ટળે તેવી બાધાઓ વારંવાર થયા કરે છે. હે ભિક્ષુ! તને તો આવું ન થવું જોઈએ એમ કુશળ પુરુષો જણાવે છે. [૧૧૭].
ગુરુની આજ્ઞાનુસાર અપ્રમત્તપણે વર્તતા ગુણવાન સંયમીથી અજાણતાં જે કાંઈ હિંસાદિ પાપ થઈ જાય છે, તેને બંધ
૧. મળમાં નીચેની વિગતો છે: તેમને જવાને રસ્તા, તેમનું ભજન, સૂવાની પથારી વગેરે જેવાં, તપાસવાં, અને સાફ કરવાં જોઈએ.
૨. મળમાં : “જવાની, પાછા ફરવાની, શરીરને સંકેચવાની, અટકવાની કે સાફસૂફ કરવાની વગેરે ક્રિયાઓ.”
૩. અનુજ મહિં અનુમાને કહ્યું – નિરિત્ર ? 1 પાછળ પડવું, અને અનુસરવું એ બે જુદા ભાવના એક જ શબ્દના ઉપયોગમાં શ્લેષ છે.
૪. મૂળઃ મતિ (અવ્યક્ત).
૫. મૂળમાં તેને દાખલો આ પ્રમાણે છે: “ચાલતાં શરીર સાથે અથડાઈ કાઈ પ્રાણ નાશ પામે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org