________________
૫. કસાર
લેપ છેવક્ર આચારવાળા છે, પ્રમત્ત છે, અને ઘરમાં જ રચ્યાપચ્યા રહે છે, તેઓને એ મુનિપણું શક્ય નથી. [૧૫૫]
| મુનિ પણને સ્વીકારીને શરીરને બરાબર કસે. સમ્યગ્દશી વીર પુરુષે વધ્યુંઘટયું અને લૂખું કું ખાઈને જીવે છે. પાપકર્મમાં અનાસક્ત એવા તે વીર પુરુષને કદાચ રેગ થાય તો પણ તેઓ તેને સારી રીતે સહન કરે છે. કારણ કે, તેઓ સમજે છે કે શરીર પહેલાં પણ એવું હતું અને પછી પણ એવું જ છે, શરીર હંમેશાં નાશવંત, અધવ, અનિત્ય, અશાશ્વત, વધઘટ પામનારું અને વિકારી છે. એ જાતનો વિચાર કરી, તે સંયમી લાંબા વખત સુધી દુઃખો સહન કર્યા જ કરે છે અને બહાર ફરતા પ્રમત્તોને જોઈને અપ્રમત્તપણે રહે છે. એ મુનિ આ સંસારપ્રવાહને તરી શકે છે, અને તેને જ મુક્ત અને વિરત કહેલો છે એમ હું કહું છું. સંયમમાં રત, તથા વિષયમાંથી વિપ્રમુક્ત વિરત રહેનારા મનુષ્યને સંસારમાં ફરવું પડતું નથી. [૧૫૫, ૧૪-૮]
જેમ સરખી જમીન ઉપર આવેલે, પાણીથી ભરેલો, રજ વિનાને અને પિતાને આશરે રહેલાં અનેક જંતુઓની રક્ષા કરનારે. કઈ એક મોટા ધરે હોય, તેમ આ સંસારરૂપી પ્રવાહમાં જ્ઞાની પુરુષ છે. તે સકળ ગુણસંપત્તિથી પરિપૂર્ણ હોય છે, સમભાવી હોય છે, પાપળ વિનાને હોય છે, જગતનાં નાનાંમોટાં સહુ પ્રાણીઓની રક્ષામાં તત્પર હોય છે, તથા તેની બધી ઈદ્રિ વિષયોમાંથી વ્યાવૃત્ત હોય છે. એવા મહર્ષિઓને આ જગતમાં કશી જ કામના હેતી નથી. તેઓ કાળની વાટ જોતા આ જગતમાં વિચર્યા કરે છે. [૧]
તેવા કુશળ પુરુષની નજરમાં, તેવા કુશળ પુરુષે બતાવેલી નિસંગતામાં, તેવા કુશળ પુરુષના આદરમાં, તેવા કુશળ પુરુષની શિખામણમાં, અને તેવા કુશળ પુરુષની નજીકમાં જ સંયમપૂર્વક રહેવું જોઈએ તથા તે કુશળ પુરુષના ચિત્તને જ અનુસરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org