SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ મહાવીરસ્વામીને આચારધર્મ સંયમ માટે ઉદ્યત થયેલે મનુષ્ય, દરેકને પિતાનાં કર્મનું સુખદુઃખરૂપી ફળ જાતે જ ભોગવવાનું છે એમ જાણી, પ્રમાદ ન કરે. લેકવ્યવહારની ઉપેક્ષા કરીને બધી જાતના સંગાથી દૂર રહેતા મનુષ્યને ભય નથી. [૧૪૬, ૧૪૯] કેટલાક એવા હોય છે કે જેઓ સત્ય માટે પહેલા ઉદ્યમવંત થાય છે અને પછી પણ તેમાં સ્થિર રહે છે; કેટલાક એવા હોય છે કે જેઓ પહેલા ઉદ્યમવંત થાય છે, પણ પછી પતિત થાય છે. તેવા અસંયમી અવિદ્યાથી પણ મેક્ષ મળે છે એમ બીજાને કહે છે. તેઓ સંસારના ચક્રમાં ફર્યા કરે છે. ત્રીજા કેટલાક એવા હોય છે કે જેઓ પહેલાં પણ ઉદ્યમવંત થતા નથી કે પછી પતન પણ પામતા નથી. તેવા અસંયમીઓ લેકના સ્વરૂપને સમજતા છતા લેકમાં જ રચ્યાપચ્યા રહે છે. એમ જાણુ મુનિએ જણાવ્યું છે કે, બુદ્ધિમાન પુરુષે જ્ઞાની પુરુષની આજ્ઞાને અનુસરતા, સ્પૃહારહિત, સદા યત્નવાન તથા શીલ અને સંસારનું સ્વરૂપ સાંભળી તથા સમજીને કામરહિત તેમ જ ઝંઝટ વિનાના થવું જોઈએ. [૧૫૨, ૧૪૫, ૧૫૩] હે ભાઈ ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? જાત જેવી યુદ્ધને મેગ્ય બીજી વસ્તુ મળવી દુર્લભ છે. જિનપ્રવચનમાં કહેલું છે કે, જેઓ રૂપમાં આસક્ત રહે છે, તેઓ હિંસામાં આસક્ત રહે છે. કર્મનું સ્વરૂપ સમજીને કેાઈની હિંસા ન કરવી; અને સંયમવાન થઈ ઉછાંછળા ન થવું. સાધુતાનો આકાંક્ષી પુરુષ દરેકના સુખને વિચાર કરી, સમગ્ર લેકમાં કોઈને પણ ન દૂભવે કે ન કોઈની હિસા કરે. સંયમ તરફ એકમાત્ર લક્ષ્ય રાખતા અને અસંયમને ઓળંગી ગયેલે એ સંયમી, સ્ત્રીઓ પ્રત્યે વિરત થઈને નિર્વેદપૂર્વક રહે. તે વસુમાન અને જ્ઞાની પુરુષ કોઈ પ્રકારનું પાપકર્મ ન કરે. [૧૫૪] જે સત્ય છે, તે જ મુનિપણું છે; અને જે મુનિ પણું છે તે જ સત્ય છે. જેઓ શિથિલ છે, ઢીલા છે, કામગુણના આસ્વાદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy