________________
૪. સમ્યકત્વ
નેત્ર વગેરે ઈન્દ્રિયને વશ કર્યા પછી પણ મંદમતિ પુરુષ વિષયના પ્રવાહમાં તણાઈ જાય છે. સંગથી પર નહીં થયેલા તેવા તે મનુષ્યનાં બંધને કપાતાં નથી. વિષયભોગને પરિણામે દુઃખથી પીડાયેલા અથવા હજ તેમાં જ પ્રમત્ત એવા હે મનુષ્ય ! હું તમને સાચી વાત કહી સંભળાવું છું કે, મૃત્યુ અવશ્ય આવવાનું જ છે. પિતાની ઈચ્છાઓને તાબે થતા, અસંયમી, કાળથી ઘેરાયેલા અને પરિગ્રહમાં ખૂંચેલા લોકો ફરી ફરી જન્મ પામ્યા કરે છે. [૧૩૮, ૧૩૧]
જે લેકે પાપકર્મમાંથી નિવૃત્ત થયા છે, તેઓ જ વસ્તુતાએ વાસના વિનાના કહેવાય. માટે બુદ્ધિમાન તથા સંયમી પુરુષ કષાયોનો ત્યાગ કરે. જેને આ લોકમાં ભેગેષણા નથી, તેને અન્ય નિંદ્ય પ્રવૃત્તિ શાની હોય? શું એવા વિરેને ઉપાધિ હોય છે ? દ્રષ્ટાને ઉપાધિ નથી હોતી, એમ હું કહું છું. [૧૩૬, ૧૨૮, ૧૪૦
૧. મૂળ : વંશના !
૨. મૂળમાં અતિવિદ્ય” શબ્દ છે. તે આ સૂત્રમાં વારંવાર વપરાય છે. ઉપનિષદમાં જ્ઞાની માટે વિવાથી તેિમ જ અવિવાથી પર થયેલ એવું વિશેષણ આવે છે. પરંતુ અહીં તે સાધક માટે પણ એ શબ્દ હેઈ, તેને ટીકાકાર સૂચવે છે તેવો સામાન્ય “અતિશય વિદ્યાવાને અર્થ જ સ્વીકાર્યો છે.
૩. મૂળમાં ના શબ્દ છે. ટીકાકાર તેને ભેચ્છારૂપ લેષણબુદ્ધિ એવો અર્થ લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org