SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને આચારધર્મ પડી, ધક્કા ખાઈને જાગેલા અને સમજેલા માણસને જ્ઞાની પુરુષે તે માર્ગ કહી સંભળાવે છે. [૧૩૦-૧] ધર્મને જ્ઞાની પુરુષો પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખ. પરંતુ, પ્રાપ્ત થયેલા, મનગમતા, સુંદર ભોગપદાર્થોમાં વૈરાગ્ય પામી, લેકપ્રવાહને અનુસરવાનું છેડી દેવું. મેં જોયું છે અને સાંભળ્યું છે કે, સંસારમાં આસક્ત થઈ વિષયોમાં ડૂબનારાં મનુષ્ય ફરી ફરીને જન્મ પામે છે. તેવા પ્રમાદીઓને જોઈને, બુદ્ધિમાન પુરુષે હંમેશાં સાવધાન, અપ્રમત્ત તથા પ્રયત્નશીલ રહી, પરાક્રમ કરવું જોઈએ એમ હું કહું છું. [૧૨૭૭] જિનની આજ્ઞાને અનુસરનારા અને નિઃસ્પૃહી બુદ્ધિમાન પુરુષે પિતાના આત્માને બરાબર વિચાર કરીને, તેને પ્રાપ્ત કરવા માટે શરીરની મમતા છેડવી જોઈએ. આત્માને ક! આત્માને જીર્ણ કરે! જેવી રીતે જૂનાં લાકડાંને અગ્નિ એકદમ બાળી નાખે છે, તેમ આત્મામાં સમાહિત અને સ્થિર બુદ્ધિવાળા પુરુષે કોધાદિ કવાયાને બાળી નાખવા. આ આયુષ્ય નાશવંત છે; અને ભવિષ્યમાં કમેના પરિણામરૂપ દુઃખ અચૂક જોગવવું જ પડવાનું છે. કર્મોને પરિણામે તરફડતા અનેક લે તથા તેમના અનેક જાતના કડવા અનુભવ તરફ નજર કરો! તથા પૂર્વસંબંધોને ત્યાગ કરી, વિષયાસકિતમાંથી ઉપશમ પામી, શરીરને બરાબર કસે. ફરી વાર જન્મ નહીં પામનારા વીર પુરુષોને માર્ગ કઠણ છે. માંસ અને લેહીને સૂકવી નાખો ! સ્થિર મનવાળો વીર પુરુષ સંયમમાં રત, સાવધાન, પિતાના હિતમાં તત્પર અને હમેશાં પ્રયત્નશીલ હોય છે. બ્રહ્મચર્યમાં રહીને કર્મને નાશ કરનાર સંયમી વીરપુરુષને જ જ્ઞાની પુરુષેએ માન્ય કહે છે. [૧૩૫૭]. ૧. મૂળઃ માળા માળા (ગભરાયેલા અને ચંચળ. ૨. મૂળઃ ાિ ... ના . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy