________________
૪. સભ્યતા
જગતમાં કેટલાકને પાપકર્મો કરવાની જ ટેવ પડી હોય છે. પરિણામે, તેઓ અનેક જાતનાં દુઃખો ભેગવે છે. ફર કર્મો કરનારા તેઓ ઘણી વેદના ભગવે છે. જેઓ તેવા કર્મો નથી કરતા, તેઓ તેવી વેદના નથી ભેગવતા, એમ જ્ઞાની પુરુષે કહે છે. [૧૨]
અજ્ઞાની અને અંધકારમાં રખડતા મનુષ્યને જિનની આજ્ઞાને લાભ થતું નથી. જે માણસમાંથી પૂર્વે ભગવેલા ભાગની કામના નષ્ટ થઈ છે અને જેને ભવિષ્યના પરલેકના ભેગની પણ કામના નથી, તેને વર્તમાન ભેગોની ઈચ્છા શાની હેય? તેવા સમયુક્ત, પિતાના કલ્યાણમાં પરાયણ, હમેશાં યત્નશીલ, શુભાશુભના જ્ઞાનવાળા, પાપકર્મમાંથી નિવૃત્ત, લેકને બરાબર સમજી તે તરફ તટસ્થ રહેનારા, તથા બધી બાબતમાં સત્ય ઉપર ઊભનારા વીર પુરુષોને જ અમે જ્ઞાન બતાવીશું. જ્ઞાની અને બુદ્ધ પુરુષે આરંભના ત્યાગી હોય છે, તે હકીકત તરફ નજર રાખો. જેણે વધ, બંધ, પરિતાપ તથા બહારના પ્રવાહને રોક્યા છે, તથા કર્મનાં પરિણામો સમજીને જે નિષ્પકમ્પંદર્ભો થયો છે, તે વેદવિત કર્મબંધનનાં કારણેથી પર રહે છે. [૧૩૮-૯]
રાગદ્વેષાદિ જે વૃત્તિઓ (આસવ) છે, તે જ પ્રવૃત્તિઓ (–નાં મૂળઃ પરિવ) છે. જેઓ રાગદ્વેષાદિ (આસો) વિનાના છે, તેઓ જ સાચા નિષ્કમી (પરિ વિનાના) છે. આ પદોને સમજતા સંયમીએ જ્ઞાનીઓની આજ્ઞાનુસાર લે કોના સ્વરૂપને સમજી, તેમણે બતાવેલા માર્ગ તરફ વળવું જોઈએ. સંસારમાં
૧. ધન, ધાન્ય પુત્ર, સ્ત્રી વગરની કામના કે જે હિંસાદિ પ્રવૃત્તિનું તથા પાપને પ્રવાહ આત્મામાં દાખલ થવાનું કારણ છે તે.
૨. એ પા. ર૩ નોંધ ૪. ૩. વેદ એટલે સાચું જ્ઞાન, તેને જાણનાર – જ્ઞાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org