SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સુખ અને દુઃખ પિપાસાનો ત્યાગ કરીને તથા બીજુ પણ છોડીને, સંયમધર્મમાં પરાક્રમી થાય. [૧૦૬, ૧૦૯-૧૦ કેટલાક લોકે આગળ અને પાછળને ધ્યાનમાં લેતા નથી - શું થયું અને શું થશે તેને વિચાર કરતા નથી. કેટલાક વળી એમ પણ કહે છે કે, જે થયું છે તે જ થવાનું છે. પરંતુ તથાગત' પુરુષે કહે છે કે, કર્મની વિચિત્રતાને લીધે, જેવું થયું છે તેવું જ થવાનું છે એમ પણ નથી; અને જેવું થવાનું છે તેવું થયું હોવું જોઈએ એમ પણ નથી. આ વસ્તુ બરાબર સમજીને, મનુષ્ય શુદ્ધ આચરણવાળા થઈ, કર્મને નાશ કરવા તત્પર થવું. [૧૧૬] હે ધીર પુરુષ! તું સંસારવૃક્ષનાં મૂળ અને ફળ બંનેને તેડી નાખ. તથા તેનું સ્વરૂપ બરાબર સમજીને નૈકર્યદર્શી' થા. વિદ્યાથી પર ગયેલ અને દુઃખને (સંસારના) સ્વરૂપને સમજનારે (મુનિ) પરમ તત્વને જાણીને પાપ નથી કરતા. પદાર્થોનું સ્વરૂપ સમજીને ઉપરત થયેલે તે બુદ્ધિમાન બધાં પાપકર્મોને ત્યાગ કરે છે. ૧૧૧] અનેક પ્રકારનાં પાપકર્મો પ્રગટ છે! હે આર્ય પુરુષ! તું જન્મમરણનો વિચાર કરીને અને તેમને બરાબર સમજીને પ્રાણીઓના સુખને વિચાર કર. તું પાપના મૂળ કારણરૂપ લેક સાથેના પાશને તોડી નાખ. એ પાશથી જ મનુષ્ય હિંસાવી તથા જન્મમરણ જેનારે થાય છે. [૧૧૧] બુદ્ધિમાન સમસ્ત લેક તરફ સમભાવ રાખીને તથા સંસારના સંબંધને બરાબર જાણીને, બહારના પ્રાણ તરફ પિતાની પેઠે જેવું જોઈએ; અને હિંસામાંથી વિરત થઈ કોઈને હણવું કે હણાવવું ન ૧. મૂળ: લોકસંજ્ઞા” એટલે કે લોકોની સ્વાભાવિક રચિ. ૨. પદાર્થોને યથાવસ્થિતરૂપે જાણનાર– સત્યશી. ૩. મૂળ: જો ૨ મૂઝ નવા ૪. નિકમે એવા આત્માને જોનાર–અનુભવનાર. ૫. મૂળમાં જન્મને તથા (બાલ, કુમાર, ચૌવન વગેરે) તેની વૃદ્ધિને.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy