________________
૧૯
મહાવીરસવામીને આચારધમ
જે માણસ જ્ઞાની છે, તેને માટે કશે ઉપદેશ નથી. તે કુશળ પુરુષ કાંઈ કરે અથવા ન કરે તેથી તે બદ્ધ પણ નથી અને મુક્ત પણ નથી. તિપણુ લેકસંજ્ઞાને બધી રીતે બરાબર સમજીને અને સમયને ઓળખીને તે કુશળ પુરુષ (પૂર્વેના મહાપુરુષોએ) ન આચરેલાં કર્મો આચરતા નથી. [૮૧, ૧૦૩]
જે બંધાયેલાઓને મુક્ત કરે છે, તે વીર પ્રશંસાપાત્ર છે. [૧૨]
સંસારીઓનાં દુઃખોનું વૈદું કરનાર કહેવાતા, તથા પિતાને પંડિત માનતા કેટલાક તીથિ કે ઘાતક, છેદક, ભેદક, લેપક, ઉપદ્રવી અને કેર વર્તાવનારા હોય છે. કેઈએ નહીં કરેલું એવું અમે કરીશું એમ તેઓ માને છે. તેમના અનુયાયીઓ પણ તેમના જેવા હોય છે. એવા મંદ મનુષ્યોને સંસર્ગ ન કરે. તેવા દુર્વસુ, અસંયમી, અને જીવનચર્યામાં શિથિલ મુનિઓ સપુરુષની આજ્ઞાના વિરાધક હે તુર છે. [૯૫, ૧૦૦]
મદ અને મેહથી ઘેરાયેલા કેટલાક લેકે સંયમ સ્વીકારીને પણુ, વિષને સંબંધ થતાં, ફરી સ્વછંદે વર્તવા લાગે છે.
અપરિગ્રહી થઈશું' એમ વિચારીને ઉદ્યત થયા છતાં, કામો મળતાં જ તેઓ તેમાં ખેંચી જાય છે, અને સ્વછંદે વત, મેહમાં વારંવાર હૂખ્યા કરે છે. તેઓ આ કાંઠે પણ નથી અને પેલે કાંઠે પણ નથી. સાચે સાધુ તે હોતું નથી. સંયમ પ્રત્યે અરતિ દૂર કરનાર અને સંયમથી ન થાકનાર મેધાવી વીર પ્રશંસાને પાત્ર છે. તે માણસ શીધ્ર મુક્ત થાય છે. [૭૩, ૯૫, ૭૨, ૮૫]
૧. મૂળઃ “પશ્યક. ૨. “તીર્થ એટલે સંપ્રદાય, તે પ્રવર્તાવનારાઓ. ૩. આરાધકથી ઊલટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org