________________
૨. લોકવિજય
જે કોઈ એકને આરંભ હિંસા કરે છે, તે છમાંના બીજાને પણ કરે છે. કર્મને બધી રીતે બરાબર સમજી, તેમાં પ્રવૃત્તિ ન કરવી. [૯૭-૧૦૧]
આ મારું છે' એવો સંકલ્પ જે છેડે છે, તે મમત્વને છોડે છે. જેને મમત્વ નથી, તે જ મુનિ સાચે માર્ગદ્રષ્ટા છે. [૮]
સંસારી જીવ અનેક વાર ઊંચ ગેત્રમાં આવે છે, તેમ જ નીચ ગેત્રમાં પણ જાય છે. આવું જાણું, કોણ પિતાના શેત્રનું ગૌરવ કરે, કે તેમાં આસક્તિ રાખે, કે સારાનરસા ગોત્રને હર્ષશોક કરે? [૭૭] ' લોકોના સંબંધને જે વીર વટાવી જાય છે, તે પ્રશંસાને પાત્ર છે. તે મુનિ જ “જ્ઞાત' એટલે પ્રસિદ્ધ કહેવાય છે. મેધાવી પુરુષે લકનું સ્વરૂપ બરાબર જાણીને તથા લેકસંજ્ઞાનો ત્યાગ કરીને પરાક્રમ કરવું એમ હું કહું છું. [૧૦૦, ૯૮].
પદાર્થોને જે યથાવસ્થિતરૂપે જાણે છે, તે જ યથાર્થતામાં રહે છે અને જે યથાર્થતામાં રહે છે, તે જ પદાર્થોને યથાવસ્થિતરૂપે જાણે છે. એવા મનુષ્ય જ બીજાને દુઃખની સાચી સમજ આપી શકે છે. તે લોકો ઓઘને (કર્મપ્રવાહને) તરી ગયેલા છે; અને તે જ તીર્ણ, મુક્ત અને વિરક્ત કહેવાય છે, એમ હું કહું છું. [૧૦૧, ૯૯]
૧. પૃથવી, પાણી વગેરે છ વર્ગો. આરંભને મુખ્ય અર્થે પ્રવૃત્તિ છે. પરંતુ તે હિંસાના અર્થમાં પણ વારંવાર વપરાય છે.
૨. લોકચિ કે લોકપ્રવૃત્તિ. લોકની શરમ કે તેનું અનુસરણ છાડી, આત્માના વિભાવરૂપ લોકને છત એ જ આ અધ્યયનને વિષય પણ છે, અને નામ પણ છે.
૩. મૂળઃ “અનન્ય : અર્થાત જેવું છે, તેનાથી અન્ય- ન જોનાર.
૪. મૂળ: અનન્યારામ. મ. આ.—૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org