________________
મહાવીરસ્વામીને આચારધર્મ
કામિની અને કાંચનમાં મૂઢ એવા તે લેને જીવિતમાં અત્યંત રાગ હેય છે. મણિ, કુંડળ અને હિરણ્ય વગેરેમાં પ્રીતિવાળા તથા સ્ત્રીઓમાં અત્યંત આસક્તિવાળા તે લેકેને એમ જ દેખાય છે કે, અહીં કોઈ તપ નથી, દમ નથી કે નિયમ નથી. જીવન અને તેના ભોગોની કામનાવાળો તે મહામૂઢ મનુષ્ય ગમે તેમ બેલે છે તથા હિતાહિતજ્ઞાનશન્ય બની જાય છે. [૭]
તે લે કે સ્ત્રીઓથી હારી ગયેલા હોય છે. તેઓ એમ જ માને છે કે એ જ સુખની ખાણ છે. ખરી રીતે તે તે દુઃખ, મેહ, મૃત્યુ, નરક અને હલકી પશુગતિનું કારણ છે. [૮]
કામભોગના જ વિચારમાં મન, વચન અને કાયાથી મગ્ન રહેનારા તે મનુષ્ય પોતાની પાસે જે કાંઈ ધન હોય છે, તેમાં અત્યંત આસક્ત રહે છે; તથા બેપગ, ચાર પગાં કે ગમે તે પ્રાણીઓના વધ કે નિગ્રહથી પણ તેની વૃદ્ધિ કરવા ઈચ્છે છે. [૮]
પરંતુ, માણસનું જીવિત અતિ અલ્પ છે. જ્યારે આયુષ્ય મૃત્યુથી ઘેરાવા માંડે છે, ત્યારે શ્રોત્ર, ચક્ષુ વગેરે ઈદ્રિના બળની હાનિ થવા લાગતાં માણસ મૂઢ બની જાય છે. તે વખતે પોતાનાં માનેલાં સગાંસંબંધી, કે જેઓની સાથે તે લાંબા કાળથી રહેતું હોય છે, તેઓ પણ તેને તિરસ્કાર કરવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં હાસ્ય, ક્રીડા, રતિ કે શુંગાર રહેતાં નથી. વય અને યૌવન (પાણીને વેગે) ચાલ્યાં જાય છે. તે વખતે પ્રિય માનેલાં સગાંસંબંધી મનુષ્યનું મૃત્યુમાંથી રક્ષણ કરી શકતાં નથી કે તેનું શરણું બની શક્તાં નથી. જે માતપિતાએ નાનપણમાં તેનું પોષણ કર્યું હતું તથા મટે થયા પછી પિતે જેમનું રક્ષણ કરતું હતું, તે પણ તેને બચાવી શકતાં નથી. [૬૩-૫
૧. મૂળ ક્ષેત્ર (ધન-ધાન્ય) અને વાસ્તુ (ઘર-કુટુંબ). ૨. મૂળ : મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org