SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. હિંસાની સમજ સ્પર્શાઈ તે સંકાચ પામે છે, પરિતાપ પામે છે કે નાશ પામે છે. [૩-૮] તે જ પ્રમાણે કેટલાક લાકા આસક્તિને કારણે વનસ્પતિની હિંસા કરે છે. પરંતુ હું કહું છું કે આપણી પેઠે વનસ્પતિ પણ જન્મશીલ છે, વૃદ્ધિશીલ છે, તથા સચિત્ત છે, જેમ આપણને ક્રાઈ છેદે ત્યારે આપણે પ્લાન થઈ જઈ એ છીએ, તેમ તે પણ છેદાય છે ત્યારે પ્લાન થઈ જાય છે. આપણે જેમ ખારાક લઈ એ છીએ, તેમ તે પશુ ખારાક લે છે; આપણે અનિત્ય અને અશાશ્વત છીએ, તેમ તે પણ અનિત્ય અને અશાશ્વત છે; આપણે વધીએઘટીએ છીએ, તેમ તે પણુ વધે-ધટે છે; તથા આપણામાં જેમ વિકારા થયા કરે છે, તેમ તેનામાં પશુ વિકારા થાય છે. વનસ્પતિની હિંસા કરે છે, તેને તે હિંસાનું ભાન નથી હોતું. પરંતુ લેાકમાં ચાલતી વનસ્પતિની હિંસાને જે જાણે છે, તે Ο મુનિ સાચેા કર્મજ્ઞ છે. ૪૫-૭ જે ૨ અંડજ, પાતજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સંમૂમિ. ઉદ્ભિજ્જ અને ઔષપાતિક આ બધા ત્રસ એટલે કે જંગમ પ્રાણા છે. અનાની અને મંદ લેાાને વારંવાર અવતરવાની એ બધી ચેનિએ સંસાર કહેવાય છે. જગતમાં જયાં જુએ ત્યાં ૧. અનિત્ય' એટલે નિચત આયુષ્યવાળા; જેમ કે વનસ્પતિશરીરનું વધારેમાં વધારે આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું છે. અને અશાશ્વત' એટલે ક્ષણે ક્ષણે વૃદ્ધિહાનિરૂપી વિકાર પામ્યા કરનારા~~~ હંમેશ એકરૂપે ન રહેનારા, ต ૨. ઈંડામાંથી જન્મનારા તે અંડજ; ખચ્ચારૂપે જ અવતરનારા તે પેાતજ; આરથી વીંટળાઈને જન્મનારા તે જરાયુજ; આથી, દહીં વગેરેમાં થતા તે રસજ; પરસેવાથી થતા તે સંવેદજ; તમાડ્રાના સંચાગ વિના થતા તે સંપૂર્ણિમ; જમીન વગેરે ફાડીને નીકળતાં પતંગ, દેડકાં વગેરે તે ઉન્નિજ્જ; અને વજ્રની ભીંત કે દેવશય્યામાં જ સીધા જન્મનારા નારકી અને દેવે તે ઔપાતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy