________________
૧. હિંસાની સમજ
મનુષ્ય અન્ય જીવની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં બેદરકાર રહે છે, તે આત્માની બાબતમાં પણ બેદરકાર રહે છે; તથા જે આત્માની બાબતમાં બેદરકાર રહે છે, તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે. [૨]
સર્વત્ર જુદા જુદા છ રહેલા છે. તે જીવસમૂહને ભગવાનની આજ્ઞા અનુસાર બરાબર જાણીને ભયરહિત કરે. જેઓ વિવિધ જીવોનું સ્વરૂપ જાણવામાં કુશળ છે, તેઓ જ અહિંસાનું સ્વરૂપ જાણવામાં કુશળ છે; અને જેઓ અહિંસાનું સ્વરૂ૫ જાણવામાં કુશળ છે, તેઓ જ અન્ય જીવેનું સ્વરૂપ જાણવામાં કુશળ છે. વાસનાને પરાજય કરનાર, સંયત, સદા પ્રયત્નશીલ અને સદા અપ્રમત્ત એવા વીર પુરુષોએ એ વસ્તુ બરાબર જોયેલી છે. [૫, ૨૧, ૩૨-૩]
વિષયભેગમાં આસક્ત લોકો પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસ (જંગમ) જીવોની હિંસા કર્યા કરે છે, તેમને તે હિંસાનું ભાન પણ નથી હોતું. આ તેમને માટે અહિતકર છે, અને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવનાર છે, માટે ભગવાને એ વિષયમાં આપેલી સમજને બરાબર ગ્રહણ કરે.
જેમ કેઈક આંધળા માણસને કઈ છેદે, ભેદે, મારે કે ત્રાસ આપે, તો તે ન દેખતે છતે તે છેદન-ભેદનનું દુઃખ અનુભવે છે; તેમ પૃથ્વીને પણ તે આંધળી છતાં તેના પર શસ્ત્રપ્રહારથી થતું દુઃખ અનુભવમાં આવે છે. જેઓ પૃથ્વીની આસક્તિને કારણે તેની હિંસા કરે છે, તેમને પિતાની આસકિત આડે તે હિંસાનું ભાન નથી હોતું. પરંતુ પૃથ્વીની હિંસા ન કરનાર સંયમી પુરુષને તેનું બરાબર ભાન હોય છે. બુદ્ધિમાન પુરુષે કદી જાતે પૃથ્વીની હિંસા ન
૧. મૂળમાં સ્થાથા ક્રિયાપદ વાપરેલું છે, જહેવા છતાં નથી એમ કહેવું” એ તેને અર્થ થાય.
૨. મૂળ : મામા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org