SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરવાસીના આચારધર્મ “મેં અમુક કયું”, “અમુક હું કરાવીશ,’ અમુક કરનારને હું અનુમતિ આપીશ એ પ્રમાણે સમગ્ર જગતમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. પરંતુ, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેવું કર્મબંધન પ્રાપ્ત થાય છે, તે લેાકેા જાણતા નથી તેથી તેએ વિવિધ વેદના સહન કર્યાં કરે છે, અને એમ અણુગમતાં દુઃખા અનુભવતા સંસારમાં ભટકથા કરે છે. [૬] મહાવીર ભગવાને એ બાબતમાં આવી સમજ આપી છે : લેક શબ્દાદિ વિષયેા તથા રાગદ્વેષાદિ કાયાથી પીડિત છે. તેને કારણે તેને હિતાહિતનું ભાન નથી હતું; તેમને કશી સમજ આપવી પણ મુશ્કેલ છે. તે આ જ જીવનનાં સત્કાર, માન અને પૂજન માટે, કે જન્મમરણમાંથી મુક્તિ મેળવવા માટે, કે દુઃખતા પ્રતિકાર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. પેાતાની પ્રવૃત્તિઓ દ્વારા તે આતુર લાા સર્વત્ર ખીજા પ્રાણાની હિંસા કરતા હોય છે કે તેમને પરિતાપ આપતા હોય છે. એ વસ્તુ તેમને માટે અહિતકર છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવનારી છે. તથા ભગવાને આપેલી આ સમજને બરાબર સમજતા સત્ય માટે ઉદ્યમી થયેલા એવા કેટલાકાએ ભગવાન પાસેથી કે ભગવાનના સાધુઓ પાસેથી જાણ્યું હોય છે કે, વિવિધ જીવાને ધાત કરવા એ ગ્રંથ (બંધન) છે, માહ છે, માર (મૃત્યુ) છે, તથા નરક છે. જે મુનિ છે, તથા આ જાણે છે, તે જ સાચા કર્મજ્ઞ છે અને જાણવાની વસ્તુ પણ એ જ છે. હે સંયમાન્મુખ પુરુષ!! તમે ઝીણવટથી વિચાર કરી જુએ. [૧૦-૬] ૧. પાતાની મુક્તિ માટે અન્ય છવાની હિંસા કર્યાના દાખલા જાણીતા છે. ૨. મૂળ : નમાળા । દુષ્કર્મ કરતાં લખ્ત પામતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy