________________
૧૫. ભાવનાઓ
૧૪૭
સફેદ ઝીણાં બે વસ્ત્રો તથા આભૂષણો પહેરાવવામાં આવ્યાં. ત્યાર બાદ તેમને માટે ચંદ્રપ્રભા નામની મોટી સુશોભિત પાલખી લાવવામાં આવી; તેમાં પાઇપીઠ સહિત એક સુંદર રત્નજડિત મહામૂલ્યવાન સિહાસન હતું. જરામરણથી મુક્ત ભગવાન માળા, મુકુર, સુંદર આભૂાણુ, તથા કીમતી રેશમી વસ્ત્ર ધારણ કરી, નિર્મળ શુભ મનભાવ સાથે તેમાં બેઠા. તે વખતે તેમણે બે દિવસના એટલે કે છ ટંકના નિર્જળા ઉપવાસ કર્યા હતા, તથા એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું. પછી તેમને વાજતેગાજતે ગામ બહાર જ્ઞાતવંશી ક્ષત્રિયના ઉદ્યાનમાં લઈ જવામાં આવ્યા.* ત્યાં જમીનથી એક હાથ જેટલી અધ્ધર રાખેલી શિબિકામાંથી તે ધીરેધીરે નીચે
આકારવાળી, વિવિધ પ્રકારના પંચવણ મણિએ તથા પતાકાઓ વડે શોભતા અશિખરવાળી, પ્રાસાદિક, દર્શનીય, સુરપ. [૨૧] કલ્પસૂત્ર ટીકાકારે જણાવ્યું છે કે, દેવોએ કરેલી એ બધી વસ્તુઓ મનુષ્યએ કરેલી બધી વસ્તુઓમાં સમાઈ ગઈ, તેથી કશું બેવડાયું નહિ.
૧. મૂળમાં લક્ષણ છે તેને હંસની ભાતાવાળા એ અર્થ પણ થાય. આ વસ્ત્રનાં બીજું વિશેષણે જાણવા જેવાં છે: ફૂંકથી પણ ઊડી
તેવું ઉત્તમ નગર – પટ્ટણમાં બનેલું, કુશળ પુરુષોએ વખાણેલું, ઘોડાના ફીણ જેવું, કમળ, કર ઉ૫ર ઉત્તમ કારીગરોએ (કાચાર્યોએ) સેનાના ઝીક ભરેલું.
૨. પડહ-ભેરી-ઝાલર-શંખાજિક લાખે વાનો અવાજ ગગનમાં તેમ જ ધરણું ઉપર થયે. દેવ ચાર પ્રકારનાં (તત-વિતત–ઘનશુષિર) અનેક વાદ્ય સેંકડે નૃત્યાદિ સહિત વગાડવા લાગ્યા.
૩. તેમાં જ તેમનું શુતિપલાશ નામનું ચૈત્ય પણ હતું.
૪. પાલખીની બંને બાજુએ શક અને ઈશાનેદ્ર રત્નજડિત હાથાવાળાં ચામર ઢળતા હતા. પ્રથમ તે તે પાલખી મનુષ્યએ ઉપડી; પછી સુરઅસુર વગેરે દેએ ઉપાડી ઃ જેમ કે – પૂર્વ તરફ દે રહ્યા, દક્ષિણ તરફ અસુરા રહ્યા, પશ્ચિમ તરફ ગરુડે રહ્યા, અને ઉત્તરમાં ના રહ્યા, દેવગણેથી તે વખતે આકાશની શોભા ખીલેલા પુષ્પવન જેવી થઈ ગઈ. (ાક ૭-૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org