________________
૧૪૮
મહાવીર સ્વામીને આચારધમ ઊતર્યા, અને પૂર્વ દિશામાં મેં રાખી સિંહાસન ઉપર બેઠા. ત્યાર બાદ તેમણે બધા અલંકાર ઉતારી નાખ્યા; તથા પાંચ મૂઠીએ ભરી, જમણે હાથથી જમણ, અને ડાબા હાથથી ડાબા એમ બધા કેશે ઉખાડી નાખ્યા. પછી સિદ્ધોને નમસ્કાર કરી, “હવેથી હું કાંઈ પણ પાપ નહીં કરું, એવો નિયમ લઈ ઉત્તમ ચારિત્રનો સ્વીકાર કર્યો. તે બધું, બધાં દેવમનુષ્ય ચિતરામણમાં ચીતરેલાંની પેઠે સ્તબ્ધ બની, જોઈ રહ્યા. [૨]
ભગવાનને ચારિત્ર' લીધા બાદ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે મનુષ્યલેકની અંદરનાં પંચેન્દ્રિય અને વ્યક્ત મનવાળા પ્રાણીઓના મને ગત ભાવને જાણવા લાગ્યા. [૨૩]
૧. તેમને વૈશ્રમણ દેવે સફેદ વસ્ત્રમાં લઈ લીધા, એમ મૂળમાં છે.
૨. તેમને શક દેવે હીરાના (વાર/મા) થાળમાં લઈ લીધા અને ભગવાનની અનુજ્ઞાથી ક્ષીર સમુદ્રમાં પહોંચાડયા, એમ મૂળમાં છે.
કલ્પસૂત્ર-સુબેધિકામાં કુલમહત્તરા (વૃદ્ધ સ્ત્રી)ને લેતી વર્ણવી છે.
૩. મળમાં સામાચિક ચારિત્રને” એમ છે. સમભાવમાં – આત્મિક શુદ્ધ દશામાં–સ્થિર રહેવા, બધી અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કરવો, તે સામાયિક ચારિત્ર.
૪. તે વખતે ઇદ્રના કહેવાથી દેવ–મનુષ્યને વાજિને ઘાટ બંધ પડયો હતો” એમ મૂળમાં વધુ છે.
૫. મળમાં “ક્ષાપશમિક સામાયિક ચારિત્ર' એ શબ્દ છે. ક્ષપશપ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, કે જે કર્મના ઉદયમાં નહિ આવેલા અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. ત્યારે, ઉદયમાં આવેલ કે ન આવેલ તમામ કર્મના સંબંધ અત્યંત ટી જવાથી થતી આત્માની વિશુદ્ધિ, એ ક્ષાયિક કહેવાય.
૬. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાન તેમને જન્મથી જ પ્રાપ્ત હતાં. આ બધાં જ્ઞાનેની સમજણ માટે જુઓ પ્રકરણને તે ટિપ્પણ ન. ૧.
૭. આ તથા બીજું વિશેષણની સમજૂતી માટે જુઓ ટિ. ન. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org