________________
૧૫. ભાવનાઓ
૧૪૫
અને તેના કુંડળધારી દેવોએ મહાવીરને પૂરું પાડ્યું હતું. [૧૩]
પંદર કર્મભૂમિમાં જ ઉત્પન્ન થનાર તીર્થકરને જ્યારે દીક્ષા લેવાને સમય નજીક આવે છે, ત્યારે પાંચમા કલ્પ બ્રહ્મલોકમાં કાળી ખાવાળાં વિમાનમાં રહેતા લોકાંતિક દેવો તેમને આવીને કહે છે : “હે ભગવન, સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ તમે પ્રવર્તાવો.” તે પ્રમાણે, ૨૯મા વર્ષમાં, તે દેવોએ આવી ભગવાનને વિનંતી કરી. [૪૬]
વાર્ષિક દાન પૂરું થતાં, ત્રીસમે વર્ષે ભગવાને દીક્ષા લેવાની તૈયારી કરી. તે વખતે, ચારે પ્રકારનાં દેવદેવી પોતપોતાની તમામ સમૃદ્ધિ સાથે પોતપોતાનાં વિમાનમાં બેસી, કુડપુરની ઉત્તરે આવેલા ક્ષત્રિના વાસની ઈશાની બાજુએ આવી પહોંચ્યાં.
૧. થૈ સંવછેરે નિમ્ વમળવુડન્ટથરા રે. ... એ ત્રીજાથા બ્લેકમાં આવતા શબ્દ ઉપરથી સૂચિત થતો અર્થ. બાકી કુબેરભંડારી લેકાંતિક દેવેની પેઠે તીર્થંકરને બેધ આપે છે એમ મનાય શી રીતે?
૨. તેમની આઠ જાતિઓ છે: સારસ્વત, આદિત્ય, વહનિ, અરુણ, ગાય, તુષિત, અવ્યાબાધ અને અરિષ્ટ. તેઓ વિષચરતિ વિનાના હોવાથી, દેવર્ષિ કહેવાચ છે. તેઓ ત્યાંથી ચુત થઈ, મનુષ્યજન્મ લઈ, મેક્ષ પ્રાપ્ત કરે છે. તેમની (મરત સાથે) નવ જાતિ પણ ઠાણાંગાદિમાં છે. જેઓ તત્વાર્થસૂત્ર” (વિદ્યાપીઠ) પા. ૧૮૫.
૩. આના તથા તેની ઉપરના ફકરાના ૧-૩, તથા ૪-૬ એ, અંક વચ્ચે આવતા શ્લોકન છે.
૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩.
પ. પોતપોતાનાં રૂપ-નેપશ્ચચિહન (ચિંધ), તથા સર્વ પ્રકારની કૃદ્ધિઘતિ-બલસમુદાય સાથે.
૬. તેમના આવવાની રીત મૂળમાં આ પ્રમાણે વર્ણવી છે :– પ્રથમ તે સ્થૂલ પુદ્ગલે પલટાવીને સૂક્ષ્મ પુદ્ગલો પરિણમાવ્યાં જેથી ઊડી શકાય; પછી અસંખ્ય દ્વીપ સમુક ઓળગી, ચપળતાવાળી દિવ્ય દેવગતિથી, કુડપુર સંનિવેશના ઈશાન ખૂણામાં આવીને ઊતર્યા. મ આ.—૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org