________________
મહાવીર સ્વામીન આચારધર્મ ભગવાન મહાવીરે ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમમાં નિલેષપણે રહી, માબાપ દેવલોક પામતાં, પિતાની પ્રતિજ્ઞા સમાપ્ત થઈ જાણું, પોતાનું ધનધાન્ય, સોનુંરૂપું, રત્ન વગેરે યાચકોને વહેંચી દઈ હેમંત ઋતુના પહેલા પક્ષમાં, માગસર વદ ૧૦મીના રોજ પ્રવજ્યા લેવાનો નિશ્ચય કર્યો. [૧૭]
દીક્ષા લેતા પહેલાં, આખું એક વર્ષ તેમણે આ પ્રમાણે દાન આપ્યાં કર્યું : સૂર્યોદય થતાં જ દાન આપવાનું શરૂ કરે, તે. સવારના નાસ્તાના સમય સુધીમાં એક કરોડ અને આઠ લાખ સોનામહોર આપી દે. એ રીતે આખા વર્ષમાં થઈને તેમણે ત્રણ અજબ, અવાસી કરાડ અને એસી લાખ સેનામહોરે દાનમાં આપી દીધી. તે બધું ધન (ઇની આજ્ઞાથી) વૈશ્રમણ (કુબેરભંડારી)
૧. મૂળમાં અહીં મહાવીરનાં, જ્ઞાતવશી, વિદેહ (ધ્યાનપાગ્ય વિશિષ્ટ બાંધાવાળા), નિદેહણિ (વિદેહરિના – ત્રિશલાના પુત્ર), વિદેહજચ્ચ (વિદેહા ત્રિશલામાંથી થયું છે શરીર– અર્ચા– જેનું), વિદેહસૂમાલ (વિદેહસુકુમાર: ગૃહસ્થાવાસમાં સુકુમાર- ઉદાસ) – એટલાં વિશેષણ છે. વિદેહને અર્થ ધ્યાનને યોગ્ય અમુક વિશિષ્ટ બાંધાવાળા, લેપરહિત, તથા ગ્રહવાસ એ જુદે જુદે લેવાય છે.
૨. વિર દૃ !
૩. (ગર્ભવાસમાં પિતે જ લીધેલી) તેમના જીવતાં સંન્યાસ ન લેવાની, કે માતપિતાના મૃત્યુ બાદ બે વરસ સુધી સંન્યાસ ન લેવાની (તેમના મોટાભાઈએ લેવરાવેલી).
૪. હિરણ્ય-સુવર્ણ–બલ-વાહન, ધન-ધાન્ય-કનક-રત્ન-સંતસાર (સર્વોત્તમ – કીમતી વસ્તુ) વગેર મિલકત (સાવક–સ્થાપત્ત).
૫. મહાવીર ૨૮ વર્ષના થયા, ત્યારે તેમનાં માતાપિતા મરણ પામ્યા. ત્યાર પછી મોટાભાઈના આગ્રહથી તે વધુ બે વર્ષ સંસાર રહ્યા. આ બે વર્ષ તેમણે નિર્દોષ નિજીવ આહાર જ ગ્રહણ કર્યા, ઠંડા સજીવ પાણીને ત્યાગ કર્યો, અને પૂર્ણ બ્રહ્મચર્ય પાળ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org