________________
૧૫. ભાવનાઓ
૧૪૩
ભગવાનને થયેલ પુત્રીનાં બે નામ હતાં. અનવદ્યા અને પ્રિયદર્શના. તે પિતાના ગોત્ર ઉપરથી) કાશ્યપ ગેત્રી હતી. ભગવાનની દૌહિત્રી કૌશિક ગેત્રની હતી. તેને પણ બે નામ હતાં: શેષવતી અને યશોમતી. [૧૫]
ભગવાનનાં માતપિતા પાર્શ્વનાથની પરંપરાના શ્રમણનાં અનુયાયી (ઉપાસક) હતાં. તેઓએ ઘણાં વર્ષ પ્રમોપાસકને આચાર પાળી, અંતે, છયે પ્રકારના જીવોની રક્ષાને નિમિત્તે, અન્નપાન છેડી દેહત્યાગ કર્યો. ત્યાર બાદ તેઓ અચુતકલ્પ નામના બારમા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં છેલ્લા ઉચ્છવાસ વખતે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ નિર્વાણ પામશે, અને સર્વ દુઃખને અંત લાવશે. [૧૬] હતા. પિતાની પત્ની તથા બીજા પણ અનેક લોકો સાથે તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. પરંતુ, પછી મહાવીર સાથે મતભેદ પડતાં, તે તેમના સંઘથી જુદા પડી ગયેલું અને અનેક વર્ષ મહાવીર વિરુદ્ધ હિલચાલ ચલાવી, છેવટે પંદર દિવસના ઉપવાસ કરી મરી ગયો હતો.
૧. મહાવીરની પહેલાંના ૨૩મા જૈન તીર્થંકર. તે ઈ. સ. પૂર્વે ૮૧૭માં બનારસમાં જન્મ્યા હતા.
૨. આ પ્રકારના દેહત્યાગને ‘અપશ્ચિમ ભારણાંતિક સલેખના” કહે છે. અપશ્ચિમ એટલે આખરનું મારણાંતિક એટલે મરણ વખતનું; સંલેખન એટલે શરીર અને કષાયોનું લેખન – તેમને કૃશ કરવારૂપી ત૫. તેને વિધિ મૂળમાં આ પ્રમાણે બતાવ્યું છે: “પૂર્વે કરેલાં પાપ યાદ કરીને ગુરુ આગળ નિવેદિત કરી (આલોચના), તેમની નિંદા-ગર્તા કરી, ફરી ન કરવાને નિશ્ચય કરી (પ્રતિક્રમણ), પોતે સ્વીકારેલાં સત્ય, અહિંસાદિ પાંચ અણુવ્રતોની બાબતમાં થયેલ દોષનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરી, દાભની પથારી પર બેસી, અન્નત્યાગ કર્યો.' - ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org