________________
૧૪૧
૧૫. ભાવનાઓ જન્મ આપે. તે રાતે દેવદેવીઓએ અમૃત, ગંધ, ચૂર્ણ પુષ્પ તથા રત્નની મેટી વૃષ્ટિ કરી; તથા ભગવાનને કૌતુકકર્મ (નજર ન લાગે તે માટે મસી – તિલક, રક્ષાબંધનાદિ પ્રવેગ), ભૂતિકર્મ (શરીરની રક્ષા માટે કરાતું ભસ્મ લેપ, સૂત્રબંધનાદિ), અને તીર્થંકર તરીકે અભિષેક વગેરે કર્યા. [૬૯]
જ્યારથી ભગવાન ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે આવ્યા, ત્યારથી તેમનું કુળ ધન, ધાન્ય, સેનુંરૂપું, રત્ન વગેરેથી ઘણું વૃદ્ધિ પામવા લાગ્યું. આ વાત તેમનાં માતપિતાના લક્ષમાં આવતાં, તેમણે દશ દિવસ પૂરા થયે તથા (નાળ વધેરવા વગેરેની) અશુચિ દૂર થયા બાદ, ઘણું ખાનપાન તૈયાર કરાવી, સગાંવહાલાંને નિમંત્રણ આપ્યું; અને તેમને તથા બીજા યાચકવર્ગને ખૂબ જમાડી કરી, તથા ભિખારી વગેરેને આપી કરી, બધાને મહાવીરના ગર્ભમાં આવ્યા બાદ થતી કુળની વૃદ્ધિની વાત જણાવી, કુમારનું “વર્ધમાન' એવું નામ પાડયું. [૧૨]
મહાવીર માટે પાંચ દાઈએ રાખવામાં આવી હતી. તે આ પ્રમાણે દૂધ ધવરાવનાર, સ્નાન કરાવનાર, શણગારનાર, ખેલાવનાર અને ખેાળામાં રાખનાર. એ પાંચે ધાત્રીઓ વડે વીંટળાયેલ
૧. મળમાં ભવનપતિ, વાનશ્વેત૨, જ્યોતિર્ષિક અને વિમાનવાસી એમ ચાર પ્રકારનાં દેવદેવીનાં નામ છે. તે દેવદેવીના ત્યાં ઊતરવાથી એક મે પ્રકાશ, ભીડ, કેલાહલ તથા ધમાલ મચી ગયાં હતાં, [૭] એટલું મુળમાં અહીં વધારે છે. દેવદેવીના ચાર પ્રકારના વર્ણન માટે જુઓ. આ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૩.
૨. મૂળમાં - હિરણય, સુવર્ણ, ધન ધાન્ય, માણેક, મોતી, શંખ, શિલા, પ્રવાહ.
૩. શ્રમણ-બ્રાહ્મણ – કૃપણ – વનપક (ભિખારી), ભિલ્લુંડ (ભિખારી) - પંડરગ (બાવા – શિવમાર્ગ).
૪. અથવા દાવાદને એટલે નાતીલાને ઘેર પિરસણ વહેંચી કરી – એવો અર્થ પણ લેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org