________________
૬. પાત્ર
૧૨૩
લેવું, એ થે નિયમ. આ ચારમાંથી કોઈ એક નિયમ લેનારે બીજાની અવગણના ન કરવી. (વગેરે આગળ પા. ૯૧ મુજબ)
એ પ્રતિજ્ઞાઓ અનુસાર પાત્ર માગવા જનાર ભિક્ષને ગૃહસ્થ વાયદા કરે, અથવા પાત્રને તેલ, ઘી, ચરબી વગેરે પડીને કે સુગંધી દ્રવ્ય, ઠંડું કે ઊનું પાણી વગેરેથી ઘઈ માંજીને આપવાનું કહે, તે તે સદોષ જાણ ન લેવું (વગેરે બધું વસ્ત્ર પા. ૧૧૮-૯, ૧/૧૦-૩ મુજબ.) [૧/૧૮-૯] - ગૃહસ્થ ભિક્ષને એમ કહે કે, તમે થોડી વાર છે તે અમે રસોઈ વગેરે તૈયાર કરી લઈએ; ત્યાર બાદ અન્નપાન ભરીને તમને પાત્ર આપીશું. ખાલી પાત્ર શ્રમણને આપવું તે ઠીક નથી;” તો ભિએ પહેલેથી જ ના પાડી દેવી; અને છતાં, ગૃહસ્થ તેમ કરીને જ આપવા માંડે, તે તે સ્વીકારવું. [૧/૧૦
ગૃહસ્થ પાસેથી લેતાં પહેલાં ભિક્ષુએ તેના દેખતાં તપાસીને પછી લેવું કારણ કે, અંદર જીવજંતુ, વનસ્પતિ, બીજ વગેરે હાય. [૧/૧૧-૨
પિછીના બે ફકરા આગળ વઐષણ ૧/૧૭૮ તથા ૧/૧૯-૨૩ મુજબ જ લેવા. માત્ર જ્યાં સૂકવવાની વાત છે, ત્યાં, તેલ, ઘી વગેરેથી ખરડેલું પાત્ર હોય, તે નિર્જીવ જમીન જોઈતપાસી, સાફ કરી, ત્યાં સાવધાનીથી તેને ઘસી લેવું; એમ સમજવું.)
ભિક્ષુએ ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા જતાં પાત્રને પ્રથમ જોઈ તપાસી સાફ કરવું, જેથી અંદર જીવજંતુ કે ધૂળ ન રહે. ૨/૧
ભિક્ષુ ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા ગયું હોય અને ગૃહસ્થ પાત્રમાં ઠંડું પાણી ભરી લાવીને તેને આપવા માંડે; તે પહેલેથી જોયું હોય, તે તેને સદેવ જાણું ન લેવું; પણ અચાનક લેવાઈ જાય, તે તેને પાછું (તેના વાસણના) પાણીમાં રેડી દેવું; (અને ન
૧. ૫. ૧૧૯-૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org