________________
૧૨૦
મહાવીરસ્વામીને આચારધમ
ભિક્ષને વસ્ત્ર તડકે સૂકવવાની જરૂર પડે, તે તેમને સીધાં જમીન ઉપર, કે જે જીવજંતુવાળી હોય – ન સૂકવવાં; તેમ જ ખાંભી, ઉમરે, ખાંડણિયે, નાહવાને બાજઠ કે તેવી જમીનથી અદ્ધર રહેતી જગાઓ ઉપર આમતેમ હાલતાં, લટકતાં ન નાખવાં. તે જ પ્રમાણે કોટડું, ભીંત, શિલા, ઢેફાં, સ્તંભ, માંચો, માળ કે અગાસી જેવી જમીનથી ઊંચે રહેતી જગાઓનું પણ સમજવું. પરંતુ, વસ્ત્ર લઈ તેણે એકાંતમાં જવું, અને ત્યાં બળેલી જમીન વગેરે જીવજતુ વિનાનું સ્થળ જોઈતપાસી, સાફ કરી, તેના ઉપર તેમને સુકવવાં. ૧૧૯-૨૩
ભિએ, પોતે સ્વીકારી શકે તેવાં વસ્ત્રો માગવાં, અને જેવાં મળે તેવાં પહેરવાં. તેમને જોવાં યા રંગવાં નહીં; તેમ જ જોયેલાં યા રંગેલાં વસ્ત્ર ધારણ કરવાં નહીં. ગામતરે જતાં કોઈ લૂંટી લે એ બીકે તેમને છુપાવી ખરાબ વસ્ત્ર પહેરવાં નહીં, પરંતુ કોઈ લૂંટવાનું મન ન કરે એવાં વસ્ત્ર જ ધારણ કરવાં. આ વસ્ત્રધારી મુનિને સંપૂર્ણ આચાર છે. ર૧]
ગૃહસ્થને ઘેર જતાં તેણે પિતાનાં વસ્ત્ર સાથે લઈને જ જવું આવવું. તે જ પ્રમાણે શૌચ જતાં કે સ્વાધ્યાય કરવા જતાં પણ કરવું. પરંતુ વરસાદ વગેરેને વખતે બધાં વસ્ત્ર સાથે લઈને ન જવું-આવવું. [૨ /૨]
કોઈ સાધુ બીજે ગામ જતી વખતે, થોડા વખત માટે ઊછીનું વસ્ત્ર લઈ આવે; અને પછી પરગામથી પાછો આવી, તે વસ્ત્ર મૂળ માલિકને આપવા માંડે, તો તે તેણે પાછું ન લેવું, કે લઈને બીજાને ન આપી દેવું, કે કોઈને ઊછીનું ન આપવું, કે તેને બદલે ન કર, કે બીજાને જઈને એમ ન કહેવું કે, “હે આયુષ્યનું
१. अणंतरहियाए (अनंतहिता). ૨. થr fસ, nિહેલુfણ સુથારુંfસ, જામi૪તા ૩. જુઓ યા ૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org