________________
૫. વસ્ત્ર -
૧૧૯
અથવા, તે ગૃહસ્થ પિતાના ઘરના માણસને એમ કહે કે, “અમુક વસ્ત્ર લાવે, આપણે તેને સુગંધી દ્રવ્ય કે કવાથ વડે ઘસી, સાફ કરીને, કે સુગંધિત કરીને સાધુને આપીએ; અથવા ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આપીએ; કે તેમાંનાં કંદ, લીતરી વગેરે કાઢી લઈને આપીએ તો સાધુએ તેને તરત જ કહી દેવું કે, “હે આયુષ્યન્ અથવા બહેન, તમારે આપવું જ હોય, તે તેમ કર્યા વિના જ આપે. અને છતાં જે તે ગૃહસ્થ તેમ કરીને જ આપે, તો તેને સદેવ જાણી ન લેવું. [૧/૧૧-૩]
ગૃહસ્થ મુનિને કાંઈ વસ્ત્ર આપવા માંડે, તે મુનિએ તેને કહેવું કે, “હે આયુષ્યન, હું એક વાર તમારા વસ્ત્રને ચારે બાજુ તપાસી લઉં.” આમ તપાસ્યા વગર વસ્ત્ર લેવામાં ઘણા દેવ છે. કારણ કે, તે વસ્ત્રના છેડામાં કાંઈ કુંડળ, હાર વગેરે આભૂષણ કે બીજ, ધાન્ય વગેરે કોઈ સચિત્ત વસ્તુ બાંધેલી હેય. માટે પહેલેથી જોઈ તપાસીને જ વસ્ત્ર લેવું. [૧૧]
મુનિએ જે વસ્ત્ર ઈલાં, જીવજંતુ વગેરેથી યુક્ત જણાય, તે સદોષ જાણું ન લેવું. જે વસ્ત્ર જીવજંતુ વિનાનું હોય, પણ પૂરતું ન હય, જીર્ણ હોય, થોડા વખત માટે આપ્યું હોય, પહેરવા લાયક ન હોય, તથા કોઈ રીતે પસંદ પડે તેવું ન હોય; તે પણ ન લેવું. પરંતુ જે વસ્ત્ર જીવજંતુ વિનાનું, પૂરતું મજબૂત, હંમેશ માટે આપી દીધેલું, પહેરવા લાયક તથા પસંદ પડે તેવું હોય, તે નિર્દોષ જાણું લેવું. [૧/૧૫-૬]
ભિક્ષુએ, પિતાનું વસ્ત્ર નવું નથી એમ જાણી કે, દુર્ગધી જાણું, તેને સુગંધી દ્રવ્ય, કવાથ યા ઠંડા કે ગરમ પાણીથી ન ધોવું કે સાફ કરવું. [૧/૧૭-૮]
૧. મૂળમાં તેને માટે faiાળા (સ્નાનન) શબ્દ છે. ટીકાકાર તેને અર્થ “સુગંધી દ્રવ્યથી (ઘસવું) એમ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org