SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમ, નિર્વાણ, શૌચ ઋજુતા, નિરભિમાનતા, અપરિગ્રહીપણું અને અહિંસા-રૂપી ધર્મ તેણે ઉપદેશ.” અને તેના સમર્થનમાં જણાવ્યું છે કે “એ પ્રમાણે ધર્મને કહેતો ભિક્ષ પોતે તકલીફમાં પડતો નથી, કે બીજાને તકલીફમાં નાખતું નથી; તથા કોઈ ભૂતપ્રાણુને પણ પીડા કરતું નથી. આવો ઉપદેશક મહામુનિ, દુઃખમાં પડેલાં સર્વ ભૂતપ્રાણીઓને “અસંદીન” બેટની પેઠે શરણરૂપ થાય છે.” [૧,૬,૧૯૪] સુસંગત તર્કવાદ જ રજૂ કરીને આમજનતામાંથી ભાગ્યે કોઈનું ધર્મપરિવર્તન કરાવી શકાય. આચારાંગસૂત્ર આખું જોઈ જાઓ, ત્યાં તમને દાર્શનિક ચર્ચાને લવલેશ નહિ મળે; પરંતુ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી એવી ઉપરની બધી બાબતેનો ઉપદેશ પહેલેથી છેડે સુધી મળશે. માત્ર, કેટલાક પારિભાષિક શબ્દ બદલાયા હશે એટલું જ. અને અંતિમ મુક્ત દશાના વર્ણનનાં જે વાક્યો તેમાં મળે છે, તે તે ઉપનિષદના કે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને કેટલાં બધાં મળતાં આવે છે? જીવની એકતા કે અનેકતા, ફૂટસ્થ નિત્યતા કે પરિણામી નિત્યતા, જગતનું સત્યત્વ કે મિથ્યાત્વ, એ બધા દાર્શનિક ભેદ ત્યાં ક્યાં ડોકિ પણ કરી શકે છે ? અને, આગળ જણાવ્યું તે પ્રમાણે આચારાંગમાં જ મહાવીરનાં પિતાનાં વાક્યો સંગ્રહાયાં છે એવો સંભવ નજર સામે રાખીએ, તે પછીના લોકોએ ગમે તે લખ્યું હોય પણ જૈન માર્ગે કૈવલ્ય પ્રાપ્ત કરનાર પુરુષની વાણુ ઉપનિષદના ઋષિની વાણીથી ક્યાં જરાય જદી પડે છે? એ વાકળ્યો અહીં ટાંકીને વિરમીશું. જેને તું હણવા માગે છે, તે તું જ છે; જેને તું તાબે કરવા માગે છે, તે પણ તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે પણ તું છે; જેને તું દબાવવા માગે છે, તે પણ તું જ છે; તથા જેને તું જ મારી નાખવા માગે છે; તે પણ તું જ છે. આમ જાણી તે સરળ અને પ્રતિબુદ્ધ માણસ કોઈને હણતા નથી કે હણાવતા નથી.[ ૧, ૫, ૧૬૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy