________________
મહાવીર સ્વામીને આચારધમ
કરી તે બધું પાછું ન માગવું; પરંતુ, ધર્મકથનપૂર્વક માગવું અથવા ગુપચુપ ઉપેક્ષા કરવી. વળી, ચરોએ તેને જે કાંઈ મારઝૂડ કરી હોય, તે ગામમાં કે રાજદરબારમાં ન ફેલાવવી; તથા કેઈને એમ ન કહેવું કે, “હે આયુષ્યમન્ ! આ ચોરોએ મને આમ કર્યું; તથા મનમાં એવો સંકલ્પ પણ ન કરવો. પરંતુ વ્યાકુળ થયા વિના, સ્વસ્થ ચિત્તે સાવધાનીથી ચાલ્યા જવું. [૩/૧૩૬ ]
પાણીમાં કેવી રીતે ઊતરવું? એક ગામથી બીજે ગામ જતાં માર્ગમાં કેડ બરાબર પાણી આવતું હોય, તે પહેલાં પગથી માથા સુધીનું શરીર જીવજંતુ તપાસી સાફ કરવું, પછી એક પગ પાણીમાં અને બીજો પગ બહાર -- એ પ્રમાણે સંભાળપૂર્વક, પિતાના હાથપગ બીજાના હાથપગ સાથે અથડાય નહીં તેમ, રૂડી રીતે પસાર થવું. [૨૮-૧૦]
પાણીમાંથી પસાર થતી વખતે શરીરને ઠંડક માટે કે દાહ મટાડવા, ઊંડા પાણીમાં જઈ ઝબકાળવું નહીં. પણ સમાન પાણીમાં થઈને જ ચાલ્યા જવું. સામે કાંઠે પહોંચીને, શરીર ભીનું હોય ત્યાં સુધી કિનારે જ થોભી જવું. ભીના શરીરને કોરું કરવા લૂછવું, ઘસવું કે તપાવવું નહીં. પણ જ્યારે સ્વાભાવિક રીતે ભીનાશ ઊડી જાય, ત્યારે શરીરને લૂછી કરી આગળ ચાલવું. [૨/૧૧-૨]
નાવમાં કેવી રીતે જવું? માર્ગમાં નાવ વડે પાર કરાય તેટલું પાણી આવે, તે ગૃહસ્થ ભિક્ષુને પિતાને માટે જ ખરીદી હેય, ઉછીની આણું હેય. અદલબદલ કરી હોય, યા સ્થળ ઉપરથી જળમાં આણી હોય, અથવા જળમાંથી સ્થળ ઉપર આવ્યું હોય, ભરેલી ખાલી કરાવી હોય, કે
૧. ટીકાકારના કહ્યા પ્રમાણે, એક પગ પાણીમાં મૂકી બીજો પગ ઊંચે કરે – પાણીમાં જ બંને પગ ઘૂમરડતા ન જવું.
૨. નાવાસંતifમ' ઉઢા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org