________________
૩. મુસાફરી
૧૦૭ હરિયાળી કે પાણીવાળ થઈ જાય અને જમીન પણ ભીની, સજી થઈ જાય. [ ૧૧૧-૨]
માર્ગે ચાલતાં, કિલા, ખાઈ, કોટ, ગુફા, પર્વત ઉપરનાં ઘરો(ફૂટાગાર), ભોંયરાંઓ, વૃક્ષ, પર્વતગૃહે, ચૈત્યવૃક્ષ, સ્તૂપ, મુસાફરખાનાં કે ઉદ્યાનગૃહ વગેરે આવાસ અને ભવનો હાથ ઊંચો કરીને, આંગળી કરીને કે ઊંચાનીચા થઈને જોવાં નહીં; પણ સાવધાનીથી સીધે માર્ગે ચાલ્યા જવું. તે જ પ્રમાણે જળાશય વગેરેની બાબતમાં પણ સમજવું. કારણ કે, તેમ કરવાથી ત્યાં જે પશુપંખી વગેરે સ્થળચર, ખેચર કે જળચર પ્રાણીઓ હોય તે “આ શ્રમણ અમને વારે છે,” એમ માની, ત્રાસ પામી, નાહક વાડ વગેરે સંતાવાની જગા તરફ દોડે. ૩૧-૩]
માર્ગમાં વકરેલે આખલે, સિંહ, વાઘ કે દીપડો વગેરે દેખીને તેમનાથી બી જઈ, માર્ગ છેડી ઉન્માર્ગે ન જવું કે વન, ગહન તથા બીજી દુર્ગમ જગામાં ન પસી જવું, કે ઝાડ ઉપર ન ચડી જવું; કે ઊંડા પાણીમાં કૂદી ન પડવું; કે વાડ, હથિયાર છે તેવું બીજું કઈ શરણ ન ઇચ્છવું. પરંતુ, જરા પણ ગભરાયા વિના, સ્વસ્થ રીતે સંયમપૂર્વક ચાલ્યા જવું. તે જ પ્રમાણે માર્ગમાં લૂંટારુઓનું ટોળું છે એમ જાણવા છતાં બીજા લાંબા માર્ગે ભયથી જવા ન ઇચ્છવું. તે લૂંટારુઓ પાસે આવી કપડાં વગેરે માગે કે કાઢી આપવાનું કહે, તે તેમ ન કરવું. તેઓ, ‘જાતે ઝુંટવી લેવાં પડશે એમ માની, જાતે ઉતારી લે. તો પછી તેમને નમસ્કાર, અંજલિ કે કાલાવાલા
૧. મૂળમાં ભાઠાં (વછળ), ચરા (વિવાળિ) ધરા (માઈન), નદી વચ્ચેના બેટ (વઢવાણ), રણ (rvirf) અરણ્ય, પર્વત, કુવા (મો), તળાવ, ધરા, નદી, વાપી, પુષ્કરિણી, દીધિંકા (૨મવા તરવા કરેલી), ગુંજાલિકા (ઉડું, ગંભીર, કુટિલ તથા બાધેલું નહીં તેવું જળાશય), સાવરો અને સરોવરની પક્તિઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org