________________
૧. ભિક્ષા
ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા જતાં જે આહારની બાબતમાં મુનિને, તે સદોષ છે કે નિર્દોષ છે એવી શંકા હેય, તે આહારનો મલિનાશયથી તેણે સ્વીકાર ન કર. [૩/૫
કઈ ગામમાં પિતાનાં પહેલેથી (જન્મથી) પરિચિત (સ્વપક્ષનાં) કે પછીથી (લગ્ન વગેરે કારણે) પરિચિત થયેલાં સગાંવહાલાં રહેતાં હોય : જેવાં કે ધણી, ધણિયાણ, તેમનો પુત્ર, પુત્રી, પુત્રવધૂ, દાઈ દાસ, દાસી, ચાકર કે ચાકરડી. તે સ્થળે તે ભિક્ષુ (કે ભિક્ષુણી) એમ વિચાર કરે કે પહેલાં એકલે એ લેને ત્યાં ભિક્ષાર્થે જઈશ; અને ત્યાં મને જે અન્ન (પિંડ), પાન લયસપેયી, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, મધ, માંસ, તલપાપડી, (સલિ), ગોળનું પાણી (ફાણિય), પૂય (દહીં? કે બુંદી) કે શિખંડ મળશે; તે હું પહેલાં ખાઈ-પી લઈશ; તથા વાસણ વગેરે સાફ કરી, પછી બીજા ભિક્ષુઓ સાથે ભિક્ષા માગવા બીજા ઘરોમાં જઈશ. આમ કરનારને દોષ લાગે છે. માટે તેમ ન કરવું. ભિક્ષુએ તે સાથેના ભિક્ષુઓની સાથે જ વખત થતાં જુદાં જુદાં ઘરમાંથી માગી આણેલે નિર્દોષ આહાર ખાવ. ૬િ) આ ગૃહસ્થને ઘેર તૈયાર થયેલા આહારમાંથી શરૂઆતમાં દેવ વગેરેને અર્થે અગ્રપિંડ જુદો કાઢવામાં આવે છે. તે અગ્રપિંડ કાઢવામાં આવતે, કે દેવમંદિર વગેરેમાં ચારે તરફ મૂકવામાં આવતે દેખી, તેને પૂર્વે ખાધેલું કે લીધેલ હોવાથી ઘણાય શ્રમણ બ્રાહ્મણ વગેરે જલદી જલદી તે તરફ જાય છે. તેમને દેખી ભિક્ષુ પણ ઉતાવળે ત્યાં જાય, તે તેને દેષ લાગે. [૫/૧
કોઈ ગૃહસ્થ પિતાને ઘેર શ્રમણ-બ્રાહ્મણ યાચક વગેરેને ભિક્ષા માટે ઊભેલા જોઈ) આહાર લાવીને મુનિને આપે અને કહે છે,
૧. એ મુનિ તે પા. ૭૩ ઉપર જણાવેલા નિયમ મુજબ “અવરજવર વિનાના એકાંત સ્થળમાં એક બાજુએ ઊ હોય.મૂળમાં આ અવતરણવાળે ભાગ વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org