________________
છ પ્રકારના જીવવગે સુખાસ્વાદક, સુખેંશી, ઉઘણુશી, તેમ જ ધો-માંજ કર્યા કરનાર શ્રમણને સુગતિ દુર્લભ છે. પરંતુ તપાધન, સરળ બુદ્ધિવાળા, ક્ષમા અને સંયમમાં પરાયણ, તથા મુશ્કેલીઓથી ન હબાના શ્રમણને સુગતિ સુલભ છે. [૨૬-૭
શ્રદ્ધાયુક્ત તથા પ્રયત્નશીલ શ્રમણે દુર્લભ શ્રમપણું પામીને આ અધ્યયનમાં જણાવેલ છે જીવવર્ગોને દુઃખ થાય એવું કાંઈ ન આચરવું. [૨૮]
નિધ
ગયા અધ્યયનમાં આચાર વિશે વાત કરી. પરંતુ જ્ઞાન વિના આચાર સંભવિત નથી. જ્ઞાન એટલે વસ્તુસ્વરૂપની સમજ. જયાં સુધી વસ્તુસ્વરૂપ જાણ્યું નથી, ત્યાં સુધી આચાર કેવો? તેથી આ અધ્યયનમાં વસ્તુસ્વરૂપ સમજાવવા જીવ અને અજીવ એ તેની સમજ આપી છે. આ અધ્યયનનું મૂળ નામ ૧છવનિકાય છે. નિકાય એટલે વર્ગ. “છ પ્રકારના જીવવર્ગો એવો એનો અર્થ થશે. જીવના સ્વરૂપનું જ્ઞાન હોય તો જ “શું કરવાનું છે અને શા માટે કરવાનું છે તે વસ્તુનું જ્ઞાન થઈ જાય. તેથી ભદ્રબાહુ સ્વામીએ ૨૩૩મી ગાથામાં જણાવ્યું છે કે, આ અધ્યયનને નીચેનાં નામે સમાન રીતે આપી શકાય: (૧) “છવાઝવા
૧. તેને બદલે, ઉત્સુકતા વડે કાર્યો કર્યા કરનાર એ અર્થ પણ લેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org