SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આચારસંહ કષાયજય જૈનશાસ્ત્રનું શ્રવણ કર્યાં બાદ તેણે રાગદ્વેષને ત્યાગ કરવા. તેણે કદી ગુસ્સે ન થઈ જવું કે ઇંદ્રિયાને સુખકારક વિષયામાં આસક્તિ ન કરવી. શરીરની પણ દાં ખાવાને બદલે તેણે દારુણ અને કર્કશ સ્પર્શી સહન કરવા. ભૂખ, તરસ, ખરખચડી જમીન, ઠંડી, ગરમી, કંટાળા, ભય વગેરે પરિષહાને તેણે અદીનપણે સહન કરવા. કારણ કે દેહદમન મહાફળ આપનારું છે. તેણે કદી ખીજાના તિરસ્કાર ન કરવા, કે પેાતાની અડાઈ ન કરવી, પેાતાના શાસ્ત્રજ્ઞાનના, જાતિના, કે તપસ્વીપણાના તેણે ગર્વ ન કરવા. ટૂંકમાં પેાતાનું હિત ઇચ્છનારા મુમુક્ષુએ ક્રોધ, માન, માયા અને લેાભ એ ચારે દાષાને ત્યાગ કરવા. ક્રોધથી પ્રીતિ નાશ પામે છે; માનવિનયના નાશ કરે છે; માયા( છળકપટ )થી મિત્રતા તૂટી જાય છે, અને લાભ સર્વના નાશ કરે છે. શાંતિ વડે ક્રોધને હણુવા; મૃદુતાથી માનને હછ્યું; સરળતાથી માયાને જીતવી; અને લેાભને સંતાષથી જીતવા. ઉષ્ણ ખલ થયેલા ક્રોષ અને માન, તથા વૃલ્ડિંગત થયેલાં માયા અને લેાભ એ ચારે મલિન વૃત્તિઓ પુનર્જન્મરૂપી વૃક્ષના મૂળની સિંચક છે. [૨૫-૭, ૩૦, ૩૭૪૦ ૧. મળ : ‘હ્ર17: બાયા । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy