________________
સમીસાંજને ઉપદેશ ૧૨. તે જ પ્રમાણે સાધુપુરુષે જંગમ (વસ) છોની પણ હિંસા કરતા નથી." [૪૩-૫
૧૩. ઋષિઓ સ્વીકારવા યોગ્ય આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્રને જ સ્વીકાર કરે છે, જે સ્વીકારવાને યોગ્ય નથી તેને ત્યાગ કરે છે. જે ખાનપાનાદિ સાધુઓને નિમંત્રણ કરીને આપ્યાં હેય, તેમને માટે ખરીદીને આણ્યાં હોય, તેમને ઉદેશીને તૈયાર કર્યા હોય, કે તેમની પાસે લાવીને રજૂ કર્યા હોય, તેમને તે સ્વીકાર નથી કરતા. કારણ કે તેવી વસ્તુઓને સ્વીકાર કરનાર, તે નિમિત્તે થતી જીવહિંસાને અનુમતિ જ આપે છે. માટે ધર્મજીવી મહાપુરુષે તેવી વસ્તુઓને સ્વીકાર નથી કરતા. [૪૬-૯]
૧૪. સાધુપુરુષે ગૃહસ્થનાં વાસણમાં અન્નપાન નથી ખાતા. તેમ કરનાર આચારથી ભ્રષ્ટ થાય છે. કારણ કે, તે વાસણને પછીથી ગૃહસ્થ સજીવ પાણીથી ધુએ, અને તે પાણી બહાર નાખે, ત્યારે
જીવહિંસા થાય. કેવળજ્ઞાનીઓએ તેમાં એવો દોષ દીઠા છે. ગૃહસ્થનાં વાસણમાં જમતાં પહેલાં તેમ જ
૧. આ બાર, સાધુના મૂળગુણે” કહેવાય છે. હવે પછીના છે “ઉત્તરગુણે” કહેવાય છે.
૨. “કાસાનાં, તેમ જ મેદાદિ (ડું વગેરે) માટીનાં વાસણમાં એમ મૂળમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org