________________
મહાચાર,
ગામ બહાર ઉદ્યાનમાં ઊતરેલા કઈ જ્ઞાનવંત, શ્રદ્ધાયુક્ત, સંયમી, તપસ્વી અને શાસ્ત્રજ્ઞ આચાર્યને રાજા, રાજાના પ્રધાને, બ્રાહ્મણે અને ક્ષત્રિયાદિઓએ ભેગા થઈ હાથ જોડીને પૂછયું કે, આપને આચારવિધિ શું છે? તેના જવાબમાં તે ઇંદ્રિયનિગ્રહી, તથા સર્વભૂતપ્રાણના હિતમાં તત્પર આચાર્યે ગૂંચાયા વિના તે બધાને આ પ્રમાણે કહ્યું :
ધર્મરૂપી અર્થની કામનાવાળા નિગ્રંથ સાધુઓને જે કઠોર અને મુશ્કેલ આચારવિધિ છે, તે હું તમને સંપૂર્ણ રીતે કહી સંભળાવું છું. મુમુક્ષને માટે એ આચારવિધિ બીજે ક્યાંય દર્શાવવામાં આવ્યા સ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org